ભરૂચ : પત્નીની હત્યામાં શકમંદ પતિનો મૃતદેહ ઘર નજીકના તળાવમાંથી મળ્યો, રહસ્યના તાણાવાણા

New Update

ભરૂચની મહાવીર નગર સોસાયટી પાસે આવેલી ઝુંપડપટ્ટીમાં રહેતી 32 વર્ષીય પરણિતાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યાના ગુનામાં તેના પતિ પર શંકાની સોય ચિંધવામાં આવી હતી પણ હવે તેના પતિનો મૃતદેહ પણ ઘરની નજીક આવેલાં તળાવમાંથી મળી આવતાં રહસ્યના તાણાવાણા સર્જાયાં છે.

ભરૂચની સાબુગઢ ઝૂપડપટ્ટી નજીક આવેલ મહાવીર નગરમાં રહેતી 32 વર્ષીય નઝમા સૈયદનો હત્યા કરાયેલો મૃતદેહ ગુરુવારના રોજ મળી આવ્યો હતો. નઝમાની હત્યા તેના પતિ રફાકત અલી સૈયદે કરી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું હતું. પતિને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી અને આડા સંબંધના વહેમમાં તેની હત્યા કરી દીધી હોવાનું પ્રાથમિક તબકકે બહાર આવ્યું હતું. બીજી તરફ એ ડીવીઝન પોલીસે ફરાર થઇ ગયેલાં રફાકત સૈયદની શોધખોળ આદરી હતી.

દરમિયાન આજે શુક્રવારના રોજ રફાકતનો મૃતદેહ તેના ઘરની નજીક આવેલાં તળાવમાંથી મળી આવ્યો હતો. રફાકત સૈયદે પત્ની નઝમાની હત્યા કર્યા બાદ તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાનું અનુમાન લગાવાય રહયું છે. ઘટનાની જાણ થતાં ભરૂચના એએસપી વિકાસ સુંડા સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પતિ અને પત્ની બંનેના મોત થઇ જતાં તેમના ત્રણ સંતાનો અનાથ બની ગયાં છે. નઝમા અને રફાકતની હત્યામાં અન્ય કોઇ વ્યકતિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.