બોટાદ લઠ્ઠાકાંડ: કેમિકલ સપ્લાય કરનાર કંપનીના ડિરેક્ટર મૃતકોના પરિવારને 1.75 કરોડનું વળતર ચૂકવવા તૈયાર !

બોટાદ- બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડમાં વપરાયેલા લઠ્ઠા માટે જવાબદાર એમોસ કંપનીના ડિરેક્ટર હાઇકોર્ટમાં ધરપકડ સામે સ્ટે માગવા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી

New Update

બોટાદ- બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડમાં વપરાયેલા લઠ્ઠા માટે જવાબદાર એમોસ કંપનીના ડિરેક્ટર હાઇકોર્ટમાં ધરપકડ સામે સ્ટે માગવા અને આગોતરા જામીન માટે અરજી કરી હતી. એમોસના ડિરેકટર મૃતકોના પરિવારને 1.75 કરોડ વળતર ચૂકવવા હાઇકોર્ટમાં તૈયારી દર્શાવી છે. તેમણે લઠ્ઠાકાંડના અસરગ્રસ્તોને પણ વળતર ચૂકવવા તૈયારી દર્શાવી હતી.જસ્ટિસ નિખિલ કરેલે એમોસના ડિરેક્ટર ની ધરપકડ પર સ્ટે હાલ પૂરતો લંબાવ્યો હતો. ડિરેક્ટર એવી પણ દલીલ કરી હતી કે, તેને લઠ્ઠા માટે વપરાયેલ કેમિકલ અંગે કોઇ જાણ નહોતી તે પ્રત્યક્ષ રીતે જવાબદાર બનતા નથી. કોર્ટ નક્કી કરે તે મુજબ પ્રત્યેક મૃતકના પરિવારજનોને વળતર ચૂકવવામાં આવશે.

Advertisment

એમોસ કંપનીના ડિરેક્ટર ની અરજીની સુનાવણી દરમિયાન એવી દલીલ કરાઈ હતી કે, લઠ્ઠાકાંડ માટે વપરાયેલું કેમિકલ બહાર લઈ જવામાં એક કર્મચારી જયેશ ની સંડોવણી બહાર આવી છે. છતાં અમે 1.75 કરોડ આપવા તૈયાર છીએ. જયેશના ખાતામાં 35 લાખ શા માટે જમા કરવામાં આવ્યા છે? માત્ર તેની તપાસ કરવા માટે અમારી કસ્ટોડિયલ તપાસની વાત અયોગ્ય છે.નોન મિથાઈલ કેમિકલ અમારી કંપનીની પ્રોડક્ટ છે. અમે અમારા તમામ લેજર પેપર પણ તપાસમાં આપ્યા છે. ડિરેક્ટર કહ્યું કે, સરકાર આવી દુર્ઘટનામાં 4 લાખ સુધી વળતર ચૂકવે છે. અમારી કંપની 1 કરોડ 75 લાખ ચૂકવવા તૈયાર છે. સરકારે એવી રજૂઆત કરી હતી કે, કંપનીના ડિરેક્ટરોની પરોક્ષ રહેમ વગર આટલી મોટી ચોરી થઇ શકે નહી. લઠ્ઠાકાંડના 82 અસરગ્રસ્તો માટે ડિરેક્ટરે કેટલી રકમ આપવી તે અંગે કોઈ વિચારણા કરી છે કે નહી? ડિરેક્ટરના વકીલે રજૂઆત કરી હતી કે દરેક અસરગ્રસ્તો માટે 25 હજાર ચૂકવવા તૈયાર છીએ.

Advertisment