ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના વતન થરાદ આવી પહોચ્યા, કુળદેવી માતાના દર્શન કર્યા..
દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા.

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવી પહોંચ્યા હતા. પોતાના પાંચેય ભાઈઓ સાથે હેલિકોપ્ટર મારફતે થરાદ પહોંચી શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા. ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે મુલાકાત પણ કરી હતી.
બનાસકાંઠા જિલ્લાનું થરાદ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું પૈતૃક વતન છે, ત્યારે ગૌતમ અદાણી પોતાના પૈતૃક વતન થરાદ ખાતે આવી પહોંચ્યા હતા. શ્રી કુળદેવી કુવારકા માતાજીના મંદિરે પહોંચી માતાજી આગળ શીસ ઝુકાવી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેઓએ સ્થાનિક ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. જોકે, થરાદમાં હોસ્પિટલ બનાવવાની રજૂઆત કરતા ગૌતમ અદાણી ઉત્સાહ સાથે તૈયારી બતાવી હતી. ઉપરાંત સારી જગ્યા જોયા બાદ પોતાના વતનમાં સારી હોસ્પિટલ બનાવવાની તૈયારી દર્શાવતા આગેવાનોએ ગૌતમ અદાણીનો આભાર માન્યો હતો. ગૌતમ અદાણી પાસે અત્યાર સુધી 71.3 અરબ ડોલરની સંપત્તિ છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં તેજીના કારણે ગૌતમ અદાણીની સંપત્તિનો નફો થયો છે. અદાણી પાવર, અદાણી ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લા 10 દિવસમાં શ્રેષ્ઠ ઉછાળો જોવા મળ્યો છે. મુકેશ અંબાણી અને ચીની ઉદ્યોગપતિ ઝોંગ શાનશાનની સંપત્તિ 87.8 અરબ ડોલર અને 66.6 અરબ ડોલર છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTરાજયમાં એકસાથે 55 PIની સાગમટે બદલીનો ગંજીપો ચિપાયો, કોની ક્યાં બદલી...
5 Aug 2022 11:32 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMT
ભરૂચ: જિલ્લા કક્ષાનો વન મહોત્સવ નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની...
12 Aug 2022 11:19 AM GMTઅમદાવાદ:એલિસબ્રિજ વિધાનસભામાં યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન,...
12 Aug 2022 9:52 AM GMTઅમદાવાદ: વાસણા બેરેજમાંથી છોડાશે વિપુલ પ્રમાણમાં પાણી,12 ગામોમાં...
12 Aug 2022 8:00 AM GMTભરૂચ: જંબુસર તલાટીમંડળ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્યને...
12 Aug 2022 7:52 AM GMTરાજ્યમાં કોંગ્રેસ આવશે સત્તા પર તો વીજળી મફત અને ખેડૂતોના દેવા કરશે...
12 Aug 2022 7:48 AM GMT