Breaking News : CM ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ, હળવા લક્ષણો જણાતા કરાવ્યો હતો ટેસ્ટ

સી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો

New Update

હાલમાં ફરી એકવાર કોરોના માથુ ઉંચકી રહયો છે ત્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સી.એમ.સહિતના આગેવાનોએ હાજરી આપી હતી ત્યાર બાદ સી.એમ.ભુપેન્દ્ર પટેલને કોરોનના હળવા લક્ષણો જણાયા હતા જે બાદ તેઓ દ્વારા ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તેઓ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. હાલ તેઓને કોરોનના હળવા લક્ષણ છે. અત્રે મહત્વપૂર્ણ છે કે તારીખ 1લી જુલાઇએ રથયાત્રા યોજાનાર છે. રથયાત્રામાં પહિંદ વિધિ મુખ્યમંત્રી જ કરતાં હોય છે પરંતુ સી.એમ.ને કોરોના પોઝિટિવ આવતા હવે આ વિધિ કોણ કરશે એના પર એક સસ્પેન્શ છે 

Read the Next Article

સાબરકાંઠા : હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ,200 ટન કરતા વધુ કચરો બહાર કાઢયો

નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

New Update
  • હાથમતી કેનાલમાં જામ્યા કચરાના ઢગ

  • કેનાલની દુર્ગંધથી લોકો હતા ત્રસ્ત

  • પાલિકા દ્વારા શરૂ કરાયું સફાઈ અભિયાન

  • ત્રણ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો

  • કેનાલમાંથી 200 ટન કચરો ઉલેચ્યો   

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલની સાફસફાઈ હાથ ધરાઈ છે.જેમાં અત્યાર સુધી 200 ટન કરતા વધુ કચરો ઉલેચવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટેની મુહિમ હાથ ધરાઈ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી હાથમતી કેનાલમાં ગંદકી ખદબદી રહી હતી.તો કેનાલ ફન્ટ પર આવતા લોકો પણ ત્રસ્ત બન્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ અભિયાન હેઠળ મહાવીર નગરથી મોતીપુરા સુધીના સાડા ચાર કિલોમીટરમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. માત્ર ત્રણ જ દિવસમાં 90 ટ્રેક્ટર કચરો કઢાયો છે.

કેનાલમાં માટી અને કચરાના ઢગ જામી ગયા હતા.જેને લઈ જેસીબીની મદદથી 2 થી 5 ફુટ સુધીનો 200 ટન ઉપરાંત કચરો કઢાયો છે.હાલ તો ફ્રૂટ માર્કેટથી મોતીપુરા બાયપાસ સુધી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.