કોવિડ-19: રાજ્યમાં આજે 34 નવા પોઝિટિવ કેસ નોધાયા, કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 53 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.73 ટકા થયો છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે.
વડોદરા શહેરમાં 7, અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 5, અમરેલી 6, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, 1-1 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 162 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 370 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 365 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા શહેરમાં 6, અમદાવાદ શહેરમાં 19, સુરત શહેરમાં 5, સુરત ગ્રામ્યમાં 1,ગીર સોમનાથમાં 6, ભાવનગર કોર્પોરેશન 2, બનાસકાંઠા 3, કચ્છમાં 2 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,08,576 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,06,55,572 લોકોનું રસીકરણ કરાયું છે