અમેરિકા -કેનેડાની સરહદ પર થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો હોવાની ચર્ચા

કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે.

New Update

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતી વેળા કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી મરેલો પરિવાર ગાંધીનગર પાસેના કલોલનો રહેવાસી હોવાની વિગતો સપાટી પર આવી છે. પટેલ પરિવારનું મકાન કલોલની ગ્રીન સીટીમાં હોવાનું બહાર આવ્યું છે.

અમેરિકામાં વૈભવી જીવન શૈલીના સ્વપ્ના બતાવી એજન્ટો અનેક લોકોને ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરાવતાં હોય છે તાજેતરમાં અમેરિકા અને કેનેડાની સરહદ પરથી પતિ-પત્ની તથા તેમના બે સંતાનોના મૃતદેહ મળી આવ્યાં હતાં. આ તમામના મોત કાતિલ ઠંડીના કારણે થયા હોવાનું બહાર આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતની ઘટનાના પડઘા વિશ્વભરમાં પડયાં છે. 11 ગુજરાતીઓના ગૃપને વાયા કેનેડા થઇ અમેરિકામાં ઘુસ મરાવવામાં આવી રહી હતી. એક જ પરિવારના ચાર સભ્યો બર્ફિલા તોફાનમાં અટવાય ગયા હતાં અને મોતને ભેટયાં હતાં જયારે અમેરિકામાં પ્રવેશવામાં સફળ રહેલાં સાત અન્ય લોકોને એજન્ટ સાથે ઝડપી લેવાયાં છે. મૃતકો ગુજરાતી હોવાનું બહાર આવતાંની સાથે ગુજરાત પોલીસ પણ એકશનમાં આવી છે.

મૃતકો ગાંધીનગર પાસે આવેલાં કલોલના રહેવાસી હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. જો કે પોલીસ આ બાબતે વધુ તપાસ ચલાવી રહી છે. કેનેડાથી અમેરિકાની સરહદ પાર કરવી એકદમ કઠીન છે. અમેરિકા જવાના સ્વપ્ન સેવતા 11 ગુજરાતીઓનું ગૃપ બર્ફિલા તોફાનો અને લાંબા મેદાનોમાં 11 કલાકથી વધારે ચાલીને અમેરિકાની સરહદ નજીક પહોંચ્યું હતું.

Read the Next Article

ભરૂચ: પોલીસ દ્વારા BAIL કંપનીમાં રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો કરાયો નાશ !

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના

New Update

ભરૂચ પોલીસની કાર્યવાહી

ડ્રગસના જથ્થાનો નાશ કરાયો

દહેજની બેઇલ કંપનીમાં નાશ કરાયો

રૂ.1.25 કરોડની કિંમતનું ઝડપાયું હતું ડ્રગસ

વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો

ભરૂચ પોલીસ દ્વારા રૂ.1.25 કરોડની કિંમતના ડ્રગસના જથ્થાનો વૈજ્ઞાનિક ઢબે નાશ કરાયો, 17 ગુનામાં  ડ્રગ્સનો 600 કિલો જથ્થો ઝડપાયો હતો.
રાજ્યમાં  તા.૨૧/૦૫/૨૦૨૫ થી તા.૧૯/૦૬/૨૦૨૫ સુધી નાર્કોટીકસના ગુન્હામાાં જપ્ત કરેલ મુદ્દામાલના નાશ-નિકાલની કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ મયુર ચાવડા  તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય ડૉ. કુશલ ઓઝા, નાયબ પોલીસ અધિક્ષકના  માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીના સંકલન દ્વારા ભરૂચ જિલ્લાના 7 પોલીસ પોલીસ મથકના 17 ગુનામાં ઝડપાયેલા રૂ.1.25 કરોડની કિંમતના 608 કિલો ડ્રગ્સનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો હતો.સૌથી વધુ 576 કિલો ડ્રગ્સ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું.
Latest Stories