જૂનાગઢ: સક્કરબાગ ઝૂના પાર્કિંગ માંથી કારનો કાચ તોડીને રૂપિયા તેમજ દાગીનાની ચોરીથી ચકચાર

જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથી વજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,

New Update
  • જૂનાગઢમાં કારનો કાચ તોડી ચોરીને અપાયો અંજામ

  • રોકડ રકમ અને દાગીના સહિત 1 લાખથી વધુની થઇ ચોરી

  • મોરબી થી આવેલ પ્રવાસીની કારમાં થઇ ચોરી

  • પ્રવાસી દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાઈ

  • પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો કર્યા ગતિમાન 

જૂનાગઢના સક્કરબાગ ઝૂના પાર્કિંગમાં પાર્ક કરેલ કારનો કાચ તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો,અને કારમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.

જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકત માટે મોરબીથીવજેસિંહ જાડેજા પરિવારજનો સાથે આવ્યા હતા,અને પોતાની કાર ઝૂના પાર્કિંગમાં પાર્ક કરી હતી,જોકે તેઓ ઝૂમાં વન્ય પ્રાણીઓ જોવા માટે ગયા ત્યારે અજાણ્યા ચોરે તેમની કારણે નિશાન બનાવી હતી,અને કારનાં દરવાજાનો કાચ તોડીને કારમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂપિયા 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરીને ચોર ફરાર થઇ ગયા હતા. વજેસિંહ જાડેજા ઝૂ માંથી બહાર આવતા તેઓને ચોરી અંગેની જાણ થઇ હતી,અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી,પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી. 

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.