કમલમમાં ઉત્સવનો માહોલ: મીઠાઇ અને ઢોલ નગારા પહોંચ્યા

New Update

ગુજરાતના નવા મંત્રીમંડળનો આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે બપોરે 1.30 વાગ્યે આ શપથવિધિ સમારોહ યોજાશે. શપથવિધિ પહેલા જ આજે કમલમ ખાતેથી મંત્રી બનનારા ધારાસભ્યોને ફોન કરીને જાણ કરવામાં આવી હતી.

હાલમાં કમલમ ખાતે રાજભવનમાં શપથ સમારોહમાં જવા માટેના પાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવા મંત્રીઓનું મોઢું મીઠું કરવા કમલમ્ ખાતે મીઠાઈઓ પહોંચી ગઈ છે.

જોકે હાલમાં ભાજપના નેતાઓ તથા કાર્યકરો કમલમ ખાતે પાસ લેવા પહોંચી રહ્યા છે અને ત્યાંથી રાજભવન જઈ રહ્યા છે. હાલમાં કમલમ ખાતે ચહલ પહલ જોવા મળી રહી નથી. પરંતુ બપોરે શપથગ્રહણ સમારોહ બાદ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે.