Connect Gujarat
ગુજરાત

કચ્છ :મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિતે માધાપર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન

આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કચ્છના માધાપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

X

આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે કચ્છના માધાપર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

ભુજ તાલુકાના માધાપરમાં પ્રવેશદ્વાર પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર અને સુતરની આંટી વડે હારારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલ કારા, નવાવાસના સરપંચ પ્રેમીલા ભુડિયા, જુનાવાસ સરપંચ પ્રેમીલા ચાડ, નવાવાસના ઉપસરપંચ અરજણ ભુડિયા, જયંત માધાપરિયાએ હારારોપણ કર્યું હતું.

આ પ્રસંગે એમ.એસ.વી. હાઇસ્કૂલના એનસીસી, આર્મી, નેવી, ડી.એલ.એસ.એ.ના વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પંચાયત દ્વારા સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને એક સ્વચ્છતા જાળવવા સંદેશો આપવામાં આવ્યો હતો.

Next Story