ગુજરાતના 178 સરકારી વકીલોની સાગમટે બદલી, કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યા આદેશ

ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે “કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા” વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી

New Update

કાયદા વિભાગ હેઠળના તમામ સરકારી વકીલો માટે તાજેતરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સટી ખાતે "કન્વિકશન રેટ : સરકારી વકીલોની ભૂમિકા" વિષય ઉપર યોજાયેલ પરિસંવાદમાં કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સરકારી વકીલોના પ્રોબેશન પૂર્ણ થયાના હુકમો તાત્કાલિક કરી આપવાની જાહેરાત કરી હતી. જે અન્વયે કાયદા વિભાગ દ્વારા આવા પ્રોબેશન પૂર્ણ થયાના ૧૧૫ સરકારી વકીલોના હુકમો કરી દેવામાં આવ્યા છે.

જે સરકારી વકીલોની ર૦૧૯ની છેલ્લી બેચમાં નિમણૂંક થઇ હતી, તેમણે વર્ગ-ર ના અધિકારી તરીકે સરકારી સેવામાં બે વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ જે પ્રોબેશન પૂર્ણ થયાના આ હુકમો થયા બાદ હવે પછી જે સરકારી વકીલોએ તેમની હિન્દી/સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવાની બાકી છે, તે પાસ કર્યાથી ખુબ જ ઝડપથી તેઓના પણ પ્રોબેશન પૂર્ણ કરતા હુકમો કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યુ હતુ.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસંવાદમાં કરેલ જાહેરાત મુજબ, રાજય સરકારની સ્થાયી સૂચના અન્વયે જે સરકારી વકીલો એકજ સ્થળે ચાર વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવે છે, તેવા કુલ-178 સરકારી વકીલોની જાહેરહિતમાં બદલી કરવામાં આવી છે.નવા શૈક્ષિણક સત્રથી આ સરકારી વકીલોની અન્યત્ર બદલી કરવામાં આવતા તેઓના બાળકોના અભ્યાસને કોઇ અસર ન પહોંચે તેની પણ કાળજી રાખી મંત્રીએ સંવેદના વ્યકત કરેલ છે.

Read the Next Article

જુનાગઢ : ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ મામલે AAPના કાર્યકર વિરુદ્ધ પોલીસ મથકમાં અરજી..!

અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી

New Update
  • ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલનો મામલો

  • ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પોલીસ મથકે અરજી અપાય

  • AAPના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે અરજી દાખલ

  • વેપારીઓએ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં હોબાળો મચાવ્યો

  • અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર સામે ઓડિયો વાયરલ મામલે પોલીસ મથકમાં અરજી દાખલ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે.

જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતીઅને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજીત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો.

Latest Stories