નર્મદા : મોતના મુખમાંથી જીઓરપાટી ગામના વૃદ્ધ પાછા આવ્યા, જુઓ તેમની સાથે કેવી બની ઘટના..!

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા વૃદ્ધ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો.

New Update

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે ખેતરે જતા વૃદ્ધ પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, 80 વર્ષીય વૃદ્ધે હિંમતપૂર્વક દીપડાનો સામનો કરતા તેઓનો આબાદ બચાવ થયો હતો.

Advertisment



નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં દીપડાની વસ્તી વધી રહી છે. હવે તો રહેણાંક વિસ્તારોમાં પણ દીપડાઓ અવારનવાર જોવા મળી રહ્યા છે, ત્યારે નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામે પોતાના ખેતરે જતા એક 80 વર્ષીય વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે તેઓએ હિંમતપૂર્વક દીપડાનો સામનો કરી મોતના મુખમાંથી પોતાને છોડાવી ગામ તરફ દોડી આવ્યા હતા. જોકે, વૃદ્ધ ગંભીર રૂપે ઘાયલ થવાથી રસ્તામાં ઢળી પડ્યા હતા. બનાવની જાણ ગામના સરપંચને થતાં તેઓએ વન વિભાગને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત વૃદ્ધને રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રથમ વખત જીઓરપાટી ગામે દીપડાએ માનવ પર હુમલો કર્યો હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. રાજપીપળા રેન્જ વન વિભાગના અધિકારીઓએ જીઓરપાટી ગામે આવી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બનાવની ગંભીરતા જોઈ પાંજરું મુકીને માનવભક્ષી દીપડાને વહેલી તકે પકડવા તજવીજ હાથ ધરી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories