Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : અષાઢ માસની હરિયાળી રૂપે જવારાના પૂજન સાથે બાળાઓ દ્વારા કરાયો ગૌરીવ્રતનો પ્રારંભ

સાબરકાંઠા : અષાઢ માસની હરિયાળી રૂપે જવારાના પૂજન સાથે બાળાઓ દ્વારા કરાયો ગૌરીવ્રતનો પ્રારંભ
X

આજથી શરૂ થતાં ગૌરીવ્રતને લઈ સાબરકાંઠા જિલ્લામાં નાની બાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, ત્યારે બાળાઓ દ્વારા પૂજા-અર્ચના સાથે ગૌરીવ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અષાઢ સુદ દેવપોઢી એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે. આ વ્રત દીકરીઓ સારા પતિની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે, ત્યારે આ વ્રતના પ્રરાંભે આજથી પાંચ દિવસ સુધી નાની બાળાઓ દ્વારા ગૌરીમાઁનું વિશેષ પૂજન કરવામાં આવશે. તો સાથે જ અષાઢ માસની હરિયાળી રૂપે જવારાનું પૂજન કરાશે. નાની બાળાઓ દ્વારા માટીના પાત્રમાં ભીની માટીમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા અને ચોખા સહિતના 7 પ્રકારના ધાન્ય વાવીને ઉગાડવામાં છે, ત્યારે ગૌરીવ્રતના પ્રારંભે બાળાઓએ વહેલી સવારે જવારાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

Next Story