સાબરકાંઠા : કાયદાકીય જાગૃતિ અર્થે એકલારા ખાતે ટેલિલો સર્વિસ અંગે વિસ્તૃત માહિતી અપાય

વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના એકલારા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ મારફતે કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા ચલાવવામાં આવતી ટેલિલો સર્વિસ બાબતે લોકોમાં કાયદાકીય જાગૃતિ આવે તે માટે વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી એકલારા ગામના લોકોને નિષ્ણાંત વકીલોની પેનલ દ્વારા ટેલિલો સર્વિસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ઇડરના એકલારા ખાતે ટેલિલો સર્વિસ મારફતે લોકોએ કાયદાકીય જાણકારી લેવા માટે નજીકના CHC સેન્ટર પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવાનું હોય છે. રજિસ્ટ્રેશન કર્યા પછી લાભાર્થીઓને ટેલિફોનિક કે, વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી નિષ્ણાંત વકીલ યોગ્ય સલાહ આપે છે. ગામમાંથી 20 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. કાર્યક્રમમાં CHCના જિલ્લા કો-ઓર્ડીનેટર ઉપેન્દ્રસિંહ ડાભીએ હાજર રહી ટેલિલો અને CHC ની અન્ય સેવાઓ વિશે હાજર લોકોને માહિતી આપી હતી. વધુમાં વધુ લોકોને સેવાઓનો લાભ લેવા જણાવાયું હતું. કાર્યક્રમમનું સફળ સંચાલન ગામના દિનેશ ભાંભી અને યાસિન મનસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
MixCollage-12-Jul-2025-
અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 35 વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ત્રણ પ્રકલ્પોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલયના 34 વર્ષ પૂર્ણ થતાં 35માં વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય અને સ્માર્ટ બોર્ડ તેમજ વૈજ્ઞાનિક રીતે આગળ વધે તે માટે આજરોજ કે.પટેલ કેમો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઉટ ડોર જીમનાસ્ટિકનું આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.જ્યારે સુભશ્રી પીગમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સૌજન્યથી બનાવેલ સ્માર્ટ ક્લાસીસ તેમજ એસ્ટ્રોનોમી ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીતેન્દ્ર એમ.પટેલ,શ્રી કે શ્રીવત્સન,શીતલ નરેશ પટેલ અને પારુલ ચેતન વઘાસિયા તેમજ સંસ્કારદીપ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories