રાજય સરકારનો સંવેદનશીલ નિર્ણય : શ્રમિકો સામે થયેલાં 515 કેસો પરત લેવાશે

લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી

New Update

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે ત્યારે જનજીવનની ગાડી ફરીથી ધમધમતી થાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વના નિર્ણયો લઇ રહયાં છે. કોરોનાના સંક્રમણને રોકવા લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન જે શ્રમિકો પર કેસ કરવામાં આવ્યાં છે તે પરત લેવામાં આવશે તેવી જાહેરાત રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી છે.

Advertisment W3.CSS

રાજયમાં છેલ્લા બે વર્ષમાં કોરોનાની બે લહેર આવી ચુકી છે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું. લોકડાઉન દરમિયાન સરકારના જાહેરનામાનો પોલીસે કડકાઇથી અમલ કરાવ્યો હતો. જાહેરનામા કે નિયમોનો ભંગ કરનારાઓ સામે કેસો કરાયાં હતાં જેમાં શ્રમિકોનો પણ સમાવેશ થાય છે. કોરોનાની મહામારીએ ગરીબ અને મધ્યમવર્ગીય લોકોની કમર તોડી નાંખી છે ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વનો અને અતિ ઉપયોગી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નિર્ણય વિશે માહિતી આપતાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન શ્રમિકો ઉપર કરવામાં આવેલાં 515 જેટલા કેસો પરત લેવાનું નકકી કરવામાં આવ્યું છે અને આ બાબતે જે તે જિલ્લાના અધિકારીઓ અને સરકારી વકીલોને સુચના આપી દેવામાં આવી છે. લોકડાઉન વેળા શ્રમિકો ઉપર થયેલાં કેસો પૈકી 208 કેસોનો કોર્ટમાં નિકાલ લાવી દેવાયો છે. ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકડાઉનમાં જયારે વાહનવ્યવહારના તમામ સાધનો બંધ હતાં ત્યારે રાજય સરકારે 1,000 કરતાં વધારે વિશેષ ટ્રેનો તથા અન્ય પરિવહનના સાધનો મારફતે 24 લાખ કરતાં વધારે શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડયાં છે.

Read the Next Article

ગીર સોમનાથ : માણેકપુરમાં પાણીની સમસ્યા,મહિલા સરપંચે બાળકોને પાણી પુરવઠા કચેરીમાં સ્નાન કરાવી ધરણા પર બેઠા

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવી કરી રજૂઆત..

New Update
  • માણેકપુરમાં પાણીની ગંભીર સમસ્યા

  • મહિલા સરપંચ દ્વારા કરાઈ રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં કરી રજૂઆત

  • પાણી પુરવઠા કચેરીમાં બાળકોને કરાવ્યું સ્નાન

  • મહિલા સરપંચે કપડા પણ ધોયા

  • કચેરીમાં જ મહિલા સરપંચના ધરણા  

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે,જેના કારણે મહિલા સરપંચ સહિતનો પરિવાર પાણી પુરવઠા વિભાગની કચેરીએ દોડી આવ્યો હતો,અને કચેરીમાં જ બાળકોને સ્નાન કરાવ્યું હતું,અને કપડા ધોઈને ધારણા પર બેઠા હતા.

ઉનાના માણેકપુર ગામે 15 દિવસથી પાણી નહીં આવતા ગામના મહિલા સરપંચ પતિ અને બે બાળકો સહિતનો પરિવાર ઉના પાણી પુરવઠા કચેરી ખાતે દોડી આવ્યો હતો,અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિત પણે પાણી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડે માણેકપુર ગામ આવેલું છે.આ ગામની કુલ વસ્તી 5500 થી 6000 જેટલી છે.આ ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી આવતું ન હોય અને સરપંચ પતિ લાખા રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં આ ગામમાં પાણીની સમસ્યાનું નિરાકરણ થયુ નહોતું.

આ માણેકપુર ગામમાં પાણીના બે જેટલા સંપ આવેલા છે,પરંતુ અહીંયા સુધી પાણી નહીં પહોંચતા બંને પાણીના સંપ પણ ખાલી છે અને લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તેમજ પાણી નહીં આવતા મહિલા સરપંચ સહિતનાઓએ પાંચ દિવસથી સ્નાન પણ કર્યું ન હોવાથી સરપંચના બંને પુત્રોને પાણી પુરવઠા વિભાગની કચેરી ખાતે લઇ આવી સ્નાન કરાવ્યું હતું,અને કપડા પણ ધોયા હતા.આ માણેકપુર ગામમાં પીવાનું પાણી અને પશુઓ માટે પણ પાણી નહીં મળતા દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે.ત્યારે મહિલા સરપંચ તેમના પતિ સાથે પાણી પુરવઠાની કચેરીમાં જ ધારણા પર બેસીને ગામમાં નિયમિત પાણી મળે તે માટે માંગ કરી રહ્યા છે.