Connect Gujarat
ગુજરાત

સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર: કોરોનામાં મૃતકોના પરિવારજનોને સહાય મુદ્દે દર્શાવી નારાજગી

કોરોના મૃત્યુના સર્ટિફિકેટની કામગીરીને લઈને ગુજરાત સરકાર સામે સુપ્રમી કોર્ટ ફરી એકવાર નારાજ થઈ છે.

સુપ્રીમ કોર્ટની ગુજરાત સરકારને ફટકાર: કોરોનામાં મૃતકોના પરિવારજનોને સહાય મુદ્દે દર્શાવી નારાજગી
X

કોરોના મૃત્યુના સર્ટિફિકેટની કામગીરીને લઈને ગુજરાત સરકાર સામે સુપ્રમી કોર્ટ ફરી એકવાર નારાજ થઈ છે. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્યમાં RTPCRના આધારે જિલ્લા સ્તરે વળતર આપવાના નિર્દેશો કર્યા હતાં.તેમજ કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતરની સહાય સરળતાથી મળે તે અંગે પણ આદેશ કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને આગામી 22 નવેમ્બરે કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહેવાનો આદેશ કર્યો છે. બીજી તરફ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે સરકારની જાહેરાત કરી હતી જે બાદ હવે ફોર્મ ભરવાની શરૂ કરવામાં આવી છે આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે.

આ માટે મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, રાજકોટ, સુરતમાં હાલ કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને સહાય માટેનું ફોર્મનું વિતરણ કરાઇ રહ્યું છે. આ સાથે કોરોનાથી થયેલા મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે ફોર્મ વિતરણ કરાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 458 છે. જેની સામે રાજકોટમાં સહાય માટે 3 દિવસમાં 1 હજાર 700 ફોર્મ વહેંચાયા છે. જ્યારે અમદાવાદમાં કોરોનાથી સત્તાવાર મોતનો આંકડો 3 હજાર 357 છે. જ્યારે AMCએ માત્ર એક જ દિવસમાં 15 હજાર ફોર્મ વિતરણ માટે મૂક્યા છે.

Next Story