સુરેન્દ્રનગર : સાયલમાં જમવાનું કાઢવાની બાબતે મહંતની હત્યા કરી અન્ય સાધુ ફરાર

સાયલા - ચોટીલા નેશનલ હાઈવે પર વણકીના બોર્ડ પાસે આવેલ એક આશ્રમમાં રાત્રે સત્સંગ કર્યા બાદ સંચાલક તેમજ મહંત સાધુ દ્વારા હાજર અન્ય એક સાધુને બધા માટે જમવાનું કાઢો કહેતા ઉશ્કેરાયેલા સાધુ એ ગાળાગાળી શરૂ કરીને લાકડા ના ધોકા વડે મહંતને બે - ત્રણ ઘા મારતા તેઓ પડી ગયા હતા . આ સમયે આશ્રમમાં હાજર અન્ય સાધુ છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ હુમલો કરતા તેમને પણ ઇજાઓ થવા પામી હતી . રાતના સમયે આશ્રમમાં હુમલાની ઘટના બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહંત વૃદ્ધને પ્રથમ ચોટીલા તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જયાં સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું કરુણ મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો . હુમલો કરનાર સાધુ ઘટનાને અંજામ આપી બાઇક લઈને નાસી છૂટયો હતો .
સાયલા હાઈવે પર વણકીના બોર્ડ પાસે આવેલ નાગેશ્વર આશ્રમમાં છેલ્લા દસથી બાર વર્ષોથી સંચાલન કરતા અને મહંત વચ્ચે ભવાનીશંકરગીરીના આશ્રમમાં પણ રવિવારના રોજ હાજર સાધુઓ ઇજાઓ તેમજ સેવકનો સત્સંગ પુરો થયા સમયે બાદ છેલ્લા થોડા દિવસોથી આશ્રમમાં રોકાયેલા સીતારામ રામજી નામના અજાણ્યા સાધુને બધા માટે જમવાનું લાવવાનું તથા પાણી ભરવાનું કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ભવાનીશંકરગીરી સાથે ગાળો બોલવા લાગ્યો હતો . ભવાનીશંકરે ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા સીતારામ બાજુમાં પડેલ લાકડાનો ધોકો લઇ તેમના પર હુમલો કરી દીધો હતો . આ સમયે આશ્રમમાં હાજર અન્ય સાધુ ધર્મેન્દ્રગીરી તથા રાજકોટના આશીષભાઇ શેખલીયા છોડાવવા વચ્ચે પડતા સીતારામે તેમના પણ હુમલો કરતા ધર્મેન્દ્રગીરીને પણ ઇજાઓ થવા પામી હતી . રાતના સમયે આશ્રમમાં બનેલી હુમલાની ઘટનામાં મહંત ભવાનીશંકરગીરી પર સીતારામે લાકડાના ધોકાના બ્રેથી ત્રણ ઘા માથામાં મારતા તેઓને બેભાન હાલતમાં ૧૦૮ એમ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા દવાખાને તેમજ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન ભવાનીશંકરગીરીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો હુમલાની ઘટના બાદ હુમલાખોર સાધુ સીતારામ રામજી આશ્રમમાં પડેલું બાઇક લઇને નાસી છૂટયો હતો . બનાવની જાણ થતા સાયલા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ફરાર સીતારામની શોધખોળ હાથ ધરવામાં આવતા બાઇક ચોટીલા પાસેથી મળી આવ્યું હતું પરંતુ તે કોઈ બીજા વાહનમાં બેસી રફુચક્કર થઇ ગયો હતો . હુમલાખોર સાધુ વીશે આશ્રમમાં કોઇ પાસે માહિતી નથી તેમજ તે કયાંનો છે તેની પણ કોઇ પાસે કોઈ જ પ્રકારની માહિતી વિગત નહીં હોવાથી પોલીસ પર મુંઝવણમાં મુકાઇ જવા પામી છે . પોલીસે સારવાર દરમિયાન મૃત્યુ પામનાર મહંતનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવી હાલતો આરોપી સાધુ સીતારામને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે .
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT