વલસાડ : સંતૃપ્ત ધરતી પણ જળ માટે કરશે પોકાર!,વોટર વર્કસ ડેમનું લેવલ ઘટતા શહેરના માથે તોળાતું પાણીનું સંકટ

વલસાડ જિલ્લાના વાપીથી તાપીને પરશુરામની ધરતી કેહવાઈ છે,અને આ ધરાને સંતૃપ્ત ધરતી પણ કહેવામાં આવે છે.પણ ધીરે ધીરે આ વિસ્તારને પાણીની અછતનો સામનો કરવો પડી

New Update

સંતૃપ્ત ધરતી પર પણ જળ સંકટના એંધાણ

Advertisment

વોટર વર્કસ ડેમનું લેવલ ઘટતા સર્જાશે જળ સંકટ

રોટેશન મુજબ પાણી ન મળતા શહેરીજનોને મુશ્કેલી

ડેમમાં 20 દિવસ સુધી ચાલે એટલો જ પાણીનો પુરવઠો

નગરપાલિકા દ્વારા પાણી સંકટને પહોંચીવળવા માટેના પ્રયાસ 

વલસાડ જિલ્લાના વાપીથી તાપીને પરશુરામની ધરતી કેહવાઈ છે,અને આ ધરાને સંતૃપ્ત ધરતી પણ કહેવામાં આવે છે.પણ ધીરે ધીરે આ વિસ્તારને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.પાણીનું રોટેશન ન આવતા વલસાડ શહેરને પાણી પૂરું પાડતા વોટર વર્કસ ડેમનું લેવલ ઘટી ગયું છે.જેના કારણે શહેર પર જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે.

વલસાડ શહેરમાં પહેલા ક્યારેય પાણીની મોટી સમસ્યા સર્જાઈ નથી.જોકે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ડિસેમ્બર મહિના બાદ પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. રોટેશન પદ્ધતિ થી જે પાણી વલસાડને મળવાનું હતું એ હાલ નહિ આવતા વોટર વર્કસ ડેમનું લેવલ ઘટી ગયું છે.જેને લઈને વલસાડની પ્રજા પર પાણીનું સંકટ તોળાઈ  રહ્યું છે અને વલસાડના લોકોને એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય પાલિકાએ હાલ લેવો પડ્યો છે.સ્થિતિને જોતા ખુદ પાલિકા પ્રમુખ દ્વારા વોટર વર્કસ ડેમની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.સાથે જ અંબિકા નહેરના અધિકારીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દેવામાં આવી છે,અને વહેલી તકે રોટેશન નું પાણી મળે તે માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.હાલ ડેમમાં 28.5 એમ.એલ.ડી જેટલો પાણીનો જથ્થો છે.જે માત્ર 20 થી 22 દિવસ સુધી શહેરને પાણી આપી શકે તેવી સ્થિતિ છે.જેના કારણે વલસાડ પર પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે.

Advertisment

હાલ તો રોટેશન મુજબનું પાણી અંબિકા નહેર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે,રાત્રિ દરમિયાન 13 ઇંચ જેટલું રોટેશનનું પાણી આવી ચૂક્યું હોવાનું ચીફ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે. છ થી સાત દિવસ જેટલા સમયગાળામાં વધુ રોટેશનનું પાણી આવશે અને ડેમમાં 48.5 એમ.એલ.ડી જેટલું પાણી આવી જશે,તે સમયથી શહેરને બે ટાઈમ પાણી આપવાનું નક્કી કરવામાં આવશે અને પાણી કાપ દૂર કરવામાં આવશે,તેમ પાલિકાના ચીફ એન્જિનિયર દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

Advertisment
Read the Next Article

પોલીસ પુત્રની કરપીણ હત્યા..! : ભાવનગરમાં સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસ પુત્રને 2 શખ્સોએ રહેંસી નાંખ્યો...

હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા

New Update
  • શહેરમાં ધોળે દિવસે બની હત્યાની ચકચારી ઘટના

  • 2 શખ્સે કરી મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યા

  • સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો પોલીસ પુત્ર

  • બનાવના પગલે પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

  • દીકરાના મૃતદેહ નજીક માતાનું હૈયાફાટ રુદન 

Advertisment

ભાવનગર શહેરમાં ધોળે દિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસ પુત્રની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

મળતી માહિતી મુજબભાવનગર શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીર પોતાના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન 2 શખ્સો કેવલને છરીના આડેધડ ઘા મારી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

આ હત્યાનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળ્યું છે. પુત્રની હત્યાના સમાચાર મળતાં જ પોલીસ કાફલા સાથે ASI રેખાબેન આહીર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતાજ્યાં તેમના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની ફેલાય હતી. બનાવને લઇને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે CCTVના આધારે ફરાર થઇ ગયેલા આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment