વલસાડ : નાણાં મંત્રીના હસ્‍તે ટુકવાડા ખાતે વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું…

વલસાડ જિલ્લાના ટુકવાડા ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ ખાતમુહૂર્ત હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

New Update

વલસાડ જિલ્લાના ટુકવાડા ખાતે રૂ.૨૪૯ લાખના ખર્ચે નિર્માણ થનારા ૧.૨ કિમી લંબાઇના એપ્રોચ રોડ વાઈડિંગ તથા સી.સી. રોડની કામગીરીનું ખાતમુહૂર્ત નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

Advertisment

આ અવસરે નાણાં મંત્રી કનુ દેસાઇએ જણાવ્‍યું હતું કે, આ રસ્‍તો બનાવવા માટે અહીંના અગ્રણીઓએ કરેલી રજુઆતોને ધ્‍યાને રાખી બન્‍ને બાજુ ગટરની સાથે સીસી રોડ મંજૂર કરવામાં આવ્‍યો છે. સારી ક્‍વોલિટીનો અને મજબૂત રસ્‍તો બને તે માટે અહીંના પદાધિકારીઓ અને અગ્રણીઓ પણ તકેદારી રાખે તે જરૂરી છે. આ રસ્‍તો વધુ સારો બને તે માટે જો કોઇ સૂચન હોય તો તે રજૂ કરવા તેમજ રસ્‍તાની કામગીરી મે સુધીમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવા સંબંધિતોને જણાવ્‍યું હતું. દરેક કામોમાં જરૂરીયાત મુજબના વિકાસ કાર્યો થાય તે માટે રાજ્‍ય સરકાર કટિબધ્‍ધ છે, ત્‍યારે સૌને સાથે મળીને રાજ્‍ય સરકારના કામોમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. નલ સે જલ યોજના હેઠળ ઘર સુધી નલથી પાણી આપવાનું કામ પુર જોશમાં ચાલુ છે, તેમ તેમણે વધુમાં જણાવ્‍યું હતું.

સાંસદ ડો.કે.સી.પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીની રાહબરી હેઠળ અનેક વિકાસલક્ષી કાર્યો થઇ રહયા છે. કાર્યપાલક ઈજનેર એન.એન.પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ૧૨૦૦ મીટર લંબાઈનો આ રસ્‍તો ૧૦ મીટર પહોળો, રસ્‍તાની બંને બાજુ પેવર બ્‍લોક અને પાકી ગટર સાથે બનાવવામાં આવશે. તેમણે રસ્‍તો બનાવવા માર્ગ અને મકાન વિભાગને સહાયરૂપ બનવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ ડો. કે.સી.પટેલ, કાર્યપાલક ઈજનેર એન.એન. પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર નિખિલ પંચાલ અને જતિનભાઈ, સરપંચ તેજલ પટેલ, પારડી તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ, માર્ગ અને મકાન વિભાગના કર્મીઓ, ગામ અગ્રણીઓ, જિલ્લા/તાલુકા પંચાયત સભ્‍યો ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment
Latest Stories