વલસાડ : રૂ. 19.32 કરોડના ખર્ચે તૈયાર થનાર ભદેલી-જગાલાલા 66 કેવી વીજ સ્‍ટેશનનું ભૂમિપૂજન કરાયું

આખા દેશમાં વર્ષમાં માથાદીઠ ૧૧૩૦ વીજ યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાતમાં માથાદીઠ ૨૧૦૦ વીજ યુનિટનો વીજવપરાશ થાય છે.

New Update

ગુજરાત એનર્જી ટ્રાન્‍સમિશન કોર્પોરેશન લિ.(જેટકો) દ્વારા વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ખાતે ૬૬ કેવીના વીજ સ્‍ટેશનની ભૂમિ પૂજનવિધિ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટોકેમિકલ્‍સ મંત્રી કનુ દેસાઇએ વલસાડના સાંસદ ર્ડા. કે.સી.પટેલ, ધારાસભ્‍ય ભરત પટેલ અને જેટકો વડોદરાના એમ.ડી.ઉપેન્‍દ્ર પાંડે અને મુખ્‍ય ઇજનેર કે.આર.સોલંકીની ઉપસ્‍થિતિમાં કરી હતી.

Advertisment

આ પ્રસંગે મંત્રીએ જણાવ્‍યું હતું કે, વર્તમાન પરિસ્‍થિતિમાં રશિયા અને યુક્રેનના યુધ્‍ધને લીધે ગેસ આધારિત પાવર પ્‍લાન્‍ટ દેશમાં બંધ છે, ત્‍યારે ગુજરાતે સતત વીજ પુરવઠો લોકોને આપીને એક સિધ્‍ધિ હાસંલ કરી હતી. આખા દેશમાં વર્ષમાં માથાદીઠ ૧૧૩૦ વીજ યુનિટ વપરાય છે, જ્યારે ગુજરાતમાં માથાદીઠ ૨૧૦૦ વીજ યુનિટનો વીજવપરાશ થાય છે. જે ગુજરાતનો વિકાસ દર્શાવે છે. ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને દેશના વડાપ્રધાન નેરન્‍દ્ર મોદીએ તત્‍કાલીન સમયમાં ગુજરાતમાં વીજ પાવર પ્‍લાન્‍ટના વિકલ્‍પ તરીકે સોલાર અને વીન્‍ડ પાવર પ્‍લાન્‍ટ સ્‍થાપીને તેમની આગવી કોઠાસૂઝ દાખવી હતી.

જેના પરિણામે હાલમાં ગુજરાતમાં ૩ હજાર મેગાવોટ સોલાર પ્‍લાન્‍ટથી અને ૩ હજાર મેગાવોટ વીન્‍ડ પ્‍લાન્‍ટ મળી કુલ ૬૦૦૦ મેગાવોટ વીજળી ઉત્‍પાદન થાય છે. આ વીજ સ્‍ટેશનનું ૪૯૦૦ ચો.મી.નું તૈયાર થશે. જેની સ્‍થાપિત ક્ષમતા ૩૦ એમ.વી.એ.ની છે. જેમાંથી ૧૧ કેવીના ૪ ફીડરો રહેશે. જે પૈકી ૩ જયોતિગ્રામ અને ૧ ખેતીવાડી ફીડર રહેશે. આ વીજ સ્‍ટેશનથી લીલાપોર, ભદેલી દેસાઇ પાર્ટી અને ભદેલી જગાલાલા ગામના ૨પ૨૬ ગ્રાહકોને તેનો લાભ મળશે

જે પૈકી ૨૦પ૩ રહેણાંક, ૨૬૯ વાણિજયક, ૬૮ ઔદ્યગિક, ૧૧ વોટર વકર્સ, ૨૯ સ્‍ટ્રીટલાઇટ અને ૯૬ ખેતીવિષયક રહેશે. નાની દાંતી ગામે રૂા. ૧૧૦ કરોડની પ્રોટેકશન વોલ બનાવવા માટે ભારત સરકારમાંથી સૈધ્‍ધાંતિક મંજૂરી મળી છે. એટલે નાની દાંતી ખાતે પ્રોટેકશન વોલ બનવાથી દરિયા ધોવાણનો પ્રશ્ન હલ થશે અને ગામલોકોને રાહત થશે. નલ સે જલ યોજના અન્‍વયે કાંઠા વિસ્‍તારના લોકોને ઘરે બેઠા આવનારા સમયમાં પાણી મળશે. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન જેટકો નવસારીના ડી.સી.પટેલે, જ્યારે આભારવિધિ જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર અભય દેસાઇએ કરી હતી.

Advertisment
Read the Next Article

ભાવનગર : કમોસમી વરસાદ અને ડુંગળીનાં ભાવ તળિયે જતા ધરતીપુત્રોની હાલત દયનીય બની,ખેડૂતે કર્યો કસ્તુરી સમાન પાકનો નાશ

મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે.પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો

New Update
  • મહુવામાં ખેડૂતોને પડતા પર પાટુ

  • સફેદ ડુંગળીના ભાવ નીચા મળતા નિરાશા

  • કમોસમી વરસાદે પણ ખેડૂતોની મુશ્કેલી વધારી

  • ખેડૂતે રોટવેટર ફેરવીને ડુંગળીનો કર્યો નાશ

  • સરકાર પાસે પોષણક્ષમ ભાવ માટે કરી માંગ

Advertisment

ભાવનગર જિલ્લો ડુંગળી ઉત્પાદનનું મોટું હબ ગણાય છે.જેમાં ખાસ કરીને મહુવા સફેદ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ નહિ મળવાથી ડુંગળીના પાક પર ખેડૂત દ્વારા રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યો હતો.જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ભાવનગર જિલ્લામાં તળાજા,મહુવાગારીયાધાર,સાથે રાજુલા સહિતના વિસ્તારમાં ડુંગળી ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.જ્યારે મહુવા પંથક અને આસપાસના વિસ્તારમાં સફેદ ડુંગળીનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. તેમજ મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન પુષ્કળ હોવા થી મહુવા માર્કેટિંગ યાર્ડમાં અનેક ખેડૂતો ડુંગળી વેચવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં ડુંગળીની આવક મોટા પ્રમાણમાં થઈ છે.પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

જેને લઈને મહુવાના ઉગલવાણ ગામમાં ખેડૂતોએ સફેદ ડુંગળીના બસોથી ત્રણ સો વિઘાના ડુંગળીના ઉભા પાક પર રોટાવેટર ચલાવી ડુંગળીનો નાશ કર્યા છે. જેમાં એક ખેડૂત નો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સતત ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે 1 લાખ 75 હજાર ગુણીની આવક થઇ છે. પરંતુ ગરીબોની કસ્તુરી નો ભાવ પાણી ભાવે અને પડ્યા ઉપર પાટુ પડે એમ હરાજી બોલાઈ છે. ત્યારે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મહુવા પંથકમાં સફેદ અને લાલ એમ બે વકલમાં તૈયાર થાય છે.મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીનો ભાવ એક કિલોના 60 પૈસા થી ઉંચો ભાવ 8.95 ભાવ રહ્યો છે.જે ખેડૂતોને બિયારણના ભાવ કરતા પણ ઓછો છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ સતત નીચા જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવો સમય જોવા મળ્યો છે.અને કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે જતા મહુવા માર્કેટીંગ યાર્ડમાં આજરોજ 1 મણનો નીચો ભાવ રૂપિયા 12 થી ઉંચો ભાવ રૂપિયા 170 મળ્યો હતો. જેને લીધે ડુંગળીના ભાવ ખેડૂતની પરેશાનીમાં વધારો કરી રહ્યા છે.

Advertisment
Latest Stories