Connect Gujarat
આરોગ્ય 

થાક અને આળસની સમસ્યાથી પરેશાન છો? તો આ ટીપ્સને કરો ફોલો, ફટાફટ વધશે એનર્જી લેવલ

અનેક વાર લોકોને થાક લાગવાની અને આળસ આવવાની ફરિયાદ રહે છે. તણાવપૂર્ણ જીવનશૈલી અને અયોગ્ય આહારશૈલીને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે.

થાક અને આળસની સમસ્યાથી પરેશાન છો? તો આ ટીપ્સને કરો ફોલો, ફટાફટ વધશે એનર્જી લેવલ
X

અનેક વાર લોકોને થાક લાગવાની અને આળસ આવવાની ફરિયાદ રહે છે. તણાવપૂર્ણ જીવનશૈલી અને અયોગ્ય આહારશૈલીને કારણે આ પ્રકારની સમસ્યા થાય છે. આખો દિવસ કામમાં વ્યસ્ત હોવાને કારણે લોકોને માત્ર રાત્રે જ સૂવાનો સમય મળે છે. અહીંયા કેટલીક એવી ટીપ્સ આપવામાં આવી છે, જેની મદદથી તમે થાક લાગવાની અને આળસ આવવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો.

કહેવત છે કે અન્ન એવો ઓડકાર. આપણે જે પ્રકારના આહારનું સેવન કરીએ છીએ આપણે પણ તેવા જ બની જઈએ છીએ. યોગ્ય ડાયટનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર પણ સારી અસર થાય છે. યોગ્ય આહારશૈલીમાં તાજા ફળ અને શાકભાજીને શામેલ કરવા જરૂરી છે. ભોજનમાં અનરિફાઈન્ડ કાર્બ અને પોષણયુક્ત આહારને જરૂરથી શામેલ કરવા જોઈએ. શરીર માટે ઉચ્ચ ફાઈબરયુક્ત ભોજન પણ જરૂરી છે.

શરીરમાં એનર્જી લાવવા માટે નિયમિતરૂપે કસરત કરવી જોઈએ. કસરતમાં યોગ અથવા સ્ટ્રેંથ ટ્રેનિંગ પણ લઈ શકો છો. કસરત કરવાથી ઈંડોર્ફિનના લેવલમાં વૃદ્ધિ થાય છે, જે તમારા એનર્જી લેવલને વધારવાનું પણ કામ કરે છે. કસરત કરવાથી યોગ્ય ઊંઘ પણ આવે છે.

હાઈડ્રેશન શરીરને સુસ્ત અને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 3 લીટર પાણી પીવું જરૂરી છે. શરીરમાં પાણીની કમી થઈ જાય તો, થાક અને નબળાઈ વર્તાય છે. જેની તમારી ઊંઘ પર પણ અસર પડે છે. પાણીની સાથે સાથે નારિયેળ પાણી, લીંબુ પાણી અને ફ્રુટ જ્યુસનું પણ સેવન કરવું જરૂરી છે.

કામ કરતા સમયે એક કપ કોફી અને ચાનું સેવન કરવાથી તમને એનર્જી મળે છે. આ એનર્જી તમને થોડા સમય બાદ સુસ્તી પણ આપી શકે છે. અધિક માત્રામાં ચા અથવા કોફીનું સેવન કરવાથી ઊંઘ પર અસર પડે છે. ડિનર કર્યા બાદ ક્યારેય પણ ચા અથવા કોફીનું સેવન ના કરવું જોઈએ.

જો આખો દિવસ તમારે એક્ટીવ રહેવું હોય તો તમારે યોગ્ય ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘતા પહેલા થોડી વાર મેડિટેશન કરવું જરૂરી છે. નોર્મલ સ્ટ્રેચિંગ એક્સરસાઈઝ કરવી પણ જરૂરી છે, જેનાથી તમારુ શરીર અને મન રિલેક્સ રહેશે.

Next Story