Connect Gujarat
દેશ

Big Breaking : કાશ્મીરના પહલગામ નજીક ITBPની બસ નદીમાં ખાબકતાં 39 પૈકી 10થી વધુ જવાનોના મોત...

કાશ્મીરના પહલગામમાં ITBPની બસ નદીમાં ખાબકતાં 10થી વધુ જવાનોના મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે.

Big Breaking : કાશ્મીરના પહલગામ નજીક ITBPની બસ નદીમાં ખાબકતાં 39 પૈકી 10થી વધુ જવાનોના મોત...
X

કાશ્મીરના પહલગામમાં ITBPની બસ નદીમાં ખાબકતાં 10થી વધુ જવાનોના મોત નીપજ્યાં હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ બસમાં 39 જેટલા જવાનો હતા અને અને તમામ અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા.

મળતી માહિતી અનુસાર, કાશ્મીરના પહલગામ નજીક 39 જેટલા જવાનોને લઈને જતી ITBPની બસ અચાનક નદીમાં પડી હતી, ત્યારે બસ નદીમાં ખાબકવાના કારણે બસમાં સવાર 39 પૈકી 10થી વધુ જવાનોના મોત નીપજ્યાં હોવાનું સૂત્રોના પાસેથી જાણવા મળ્યું છે. જોકે, આ દુર્ઘટના ITBPની બસની બ્રેક ફેલ થવાના કારણે સર્જાય હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. બસમાં સવાર તમામ 39 જવાનો અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા, જે ચંદનવાડીથી પહલગામ જય રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.

Next Story