દુનિયામાં અમીરોની યાદીમાં 143માં બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું નિધન

New Update

શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન અને અબજોપતિ ઉદ્યોગપતિ પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ તેની જાણકારી આપી છે. કંપનીના તમામ મોટી સિદ્ધિઓમાં મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની બિલ્ડિંગનું નિર્માણ પણ કર્યું પણ સામેલ છે.

શાપૂરજી પાલોનજી ગ્રુપની હાજરી એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી અને ફાઇનાન્સ સર્વિસના સેક્ટરમાં છે. અલગ-અલગ કંપનીમાં આ સમૂહ માટે 50 હજારથી વધુ કર્મચારીઓ કામ કરે છે. ભારત સિવાય એશિયાના અન્ય દેશો અને આફ્રિકા સુધી શાપૂરજી પાલોનજી ગ્રુપ નો કારોબાર ફેલાયેલો છે.

ફોર્બ્સના તાજા અપડેટ અનુસાર દુનિયામાં તે અમીરોની યાદીમાં 143 માં નંબર પર છે. પાલોનજી પરિવારની પાસે ટાટા સન્સના 18.4 ટકા ભાગીદારી છે. શાપૂરજી પાલોનજી ગ્રુપની સ્થાપના 1865માં થઈ હતી. પાછલા વર્ષે શાપૂરજી પાલોનજી ગ્રુપે પોતાના કંઝ્યૂમર ડ્યુરેબલ બિઝનેસને અમેરિકન પ્રાઈવેટ ઇક્વિટી ફંડ એન્ડ એડવેન્ટ ઇન્ટરનેશનલ ને વેચી દીધી હતી.ઉદ્યોગ ક્ષેત્રમાં તેમના યોગદાનને જોતા વર્ષ 2016માં તેમને ભારતના ત્રીજા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે પાલોનજી મિસ્ત્રીનો જન્મ ગુજરાતના એક પારસી પરિવાર મુંબઈમાં થયો હતો. 

Read the Next Article

સોનાના ભાવ આજે ઘટ્યા! જાણો 22 અને 24 કેરેટ ગોલ્ડની કિંમત

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે.ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

New Update
gold rate

શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

ઉત્તર ભારતમાં આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ત્યારે 14 જુલાઈએ સોનાના ભાવમાં નજીવો ઘટાડો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલો છે.

14 જુલાઈ સોમવારના રોજ સોનાના 24 કેરેટ સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 99,850 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 91,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,390 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,700 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 91,440 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,750 રૂપિયા છે.

સોનાની સાથે આજે ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે 14 જુલાઈ સોમવારના રોજ ચાંદીનો ભાવ 1,14,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે પણ ચાંદીનો ભાવ 1,15,000 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર ભાવ, આયાત જકાત અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Today Gold Rate | Business | Gold and silver prices