કેન્દ્રનો 'ભારે' નિર્ણયઃ આજથી હાઈવે મોંઘા થયા, વન-વે ટોલ ટેક્સમાં 65 રૂપિયાનો વધારો
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના હાઈવે પર ટોલ વધાર્યો છે. વધેલા દરો આજથી લાગુ થશે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશના હાઈવે પર ટોલ વધાર્યો છે. વધેલા દરો 1 એપ્રિલથી લાગુ થશે. નોટિફિકેશન મુજબ આ વધારો 10 રૂપિયાથી લઈને 65 રૂપિયા સુધીનો છે. ટકાવારીમાં આ વધારો 10 થી 18 ટકા સુધીનો છે. નાના વાહનો માટે લઘુત્તમ વન-વે ટોલ દરમાં રૂ. 10નો વધારો છે, જ્યારે કોમર્શિયલ વાહનોએ અંતરના આધારે મહત્તમ રૂ. 65નો ટોલ ચૂકવવો પડશે.
NHAI દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ દરોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરે છે. NHAI પ્રોજેક્ટ ડાયરેક્ટર એનએન ગિરીએ ટોલ દરોમાં ફેરફારની પુષ્ટિ કરી છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના દરમાં વધારા બાદ કેન્દ્ર સરકારનો આ નિર્ણય મોંઘવારી સાથે સામાન્ય લોકોને વધુ મારશે. દિલ્હી-જયપુર હાઈવે પર ખેરકી દૌલા ટોલ પ્લાઝા પર, કાર ચાલકોએ હવે વન-વે મુસાફરી માટે 70ને બદલે 80 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે ટ્રક-બસ અને અન્ય મોટા વાહનોને 205ની સામે 235 રૂપિયા ચૂકવવા પડશે. દેશભરના તમામ ટોલ પ્લાઝાને આ વધારાની જાણ કરવામાં આવી છે અને તે મુજબ સોફ્ટવેરને અપગ્રેડ કરવામાં આવ્યું છે.