'ભારત જોડો યાત્રા' દ્વારા કોંગ્રેસ જનતાની સેવામાં લાગી જશે, આજે AICCની મહત્વની બેઠક યોજાશે

ભારત જોડો યાત્રા- 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

author-image
By Connect Gujarat
New Update

ભારત જોડો યાત્રા- 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટા આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે પાર્ટી દેશભરમાં ભારત જોડો યાત્રા શરૂ કરવા જઈ રહી છે. ભારત જોડો યાત્રાને લઈને કોંગ્રેસે આજે સાંજે 4 કલાકે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મુખ્યાલયમાં મહત્વની બેઠક બોલાવી છે. એઆઈસીસી દ્વારા પાર્ટીના તમામ નેતાઓને તેમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisment

કોંગ્રેસે ભારત જોડો યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરવા માટે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવો, પ્રભારી, પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) પ્રમુખો અને રાજ્ય સંયોજકોને બોલાવ્યા છે. આ બેઠકમાં તેમની સાથે ભારત જોડો યાત્રાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. AICC તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ યાત્રા તામિલનાડુના કન્યાકુમારીથી 7 સપ્ટેમ્બર 2022થી શરૂ થશે. આ બેઠકમાં લગભગ 3 હજાર 570 કિલોમીટર લાંબી ભારત-જોનો યાત્રાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.

તમિલનાડુ કોંગ્રેસ કમિટીએ રવિવારે ભારત જોડો યાત્રાને લઈને બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. તમિલનાડુ કોંગ્રેસના અધ્યક્ષ કેએસ અલાગીરીએ કહ્યું કે આજે કોંગ્રેસ બંધારણ માટે લડી રહી છે. રાહુલ ગાંધી આ યાત્રા દ્વારા લોકોને મળશે. તેમણે વધુમાં કહ્યું કે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન રાજ્યમાંથી આ ભારત જોડો યાત્રાનું ઉદ્ઘાટન કરશે. અમારા વિવિધ ગઠબંધન નેતાઓ પણ યાત્રામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે આ યાત્રા દ્વારા અમે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ યોજનાઓ અને આર્થિક ગેરવહીવટને લોકો સુધી લઈ જઈશું.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ફ્લેગ ઓફ કરશે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા 148 દિવસ બાદ કાશ્મીરમાં સમાપ્ત થશે. ભારત જોડો યાત્રા પાંચ મહિના માટે 3,500 કિમી અને 12 રાજ્યોથી વધુનું અંતર કાપશે. આ પદયાત્રા દરરોજ 25 કિલોમીટરનું અંતર કાપશે. આ દરમિયાન પદયાત્રાઓ, રેલીઓ અને જાહેર સભાઓનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે.

Advertisment