Connect Gujarat
દેશ

Covid-19 : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 48 વિદ્યાર્થીઓ સહિત 51ને થયો કોરોના

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોનાના દર્દીઓ વધીને 51 થઇ ગયા છે

Covid-19 : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની એક સ્કૂલમાં કોરોના વિસ્ફોટ, 48 વિદ્યાર્થીઓ સહિત 51ને થયો કોરોના
X

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. અહી જવાહર નવોદય વિદ્યાલયમાં કોરોનાના દર્દીઓ વધીને 51 થઇ ગયા છે. કુલ દર્દીઓમાં 48 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. કેટલાક દિવસ અગાઉ પારનેર તાલુકામાં આવેલી વિદ્યાલયના 19 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી સંક્રમિત આવ્યા હતા. આ સ્કૂલમાં પાંચથી 12મા ધોરણ સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પારનેર તાલુકાના સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પ્રકાશ લાલગેએ કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનો આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમા અત્યાર સુધીમાં જવાહર નવોદય વિદ્યાલયના 48 વિદ્યાર્થીઓ અને ત્રણ સ્ટાફના સભ્યો સહિત 51 લોકો કોરોનાથી સંક્રમિત થયાની જાણકારી મળી છે.તમામ કોરોના દર્દીઓને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના 1485 નવા દર્દીઓ મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 67,56,240 થઇ ગયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કેસનો આંકડો 110 થઇ ગયો છે.

Next Story