કેન્દ્રીય બજેટ: વડાપ્રધાને કહ્યું, બજેટમાં કૃષિ ક્ષેત્રને આધુનિક અને સ્માર્ટ બનાવવા પર મુકાશે ભાર

ગુરુવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ 2022-23નું ધ્યાન કૃષિ ક્ષેત્રને આધુનિક અને સ્માર્ટ બનાવવા પર રહેશે.

New Update

ગુરુવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ 2022-23નું ધ્યાન કૃષિ ક્ષેત્રને આધુનિક અને સ્માર્ટ બનાવવા પર રહેશે. આ દરમિયાન વડાપ્રધાને કૃષિ ક્ષેત્રને મજબૂત કરવામાં બજેટના યોગદાન વિશે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા સાત વર્ષમાં સરકારે બિયારણથી લઈને બજાર સુધી કૃષિ મૂલ્ય શૃંખલા માટે ઘણી પહેલ કરી છે.

Advertisment

આ સાથે જૂની સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. સ્માર્ટ એગ્રીકલ્ચર પર પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધતા તેમણે કહ્યું કે છેલ્લા છ વર્ષમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. સાત વર્ષમાં ખેડૂતોની લોનમાં પણ 2.5 ગણો વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટને સ્માર્ટ અને આધુનિક બનાવવા માટે સાત મુખ્ય માર્ગો સૂચવવામાં આવ્યા છે. આમાં ગંગાના કિનારે મિશન મોડ પર કુદરતી ખેતી, નદીની બંને બાજુએ પાંચ કિમી પહોળા કોરિડોર, આધુનિક ખેતીની સાથે સાથે 1.5 લાખ પોસ્ટ ઓફિસોને નિયમિત બેંકિંગ સુવિધા પૂરી પાડવાનો સમાવેશ થાય છે. PM મોદીએ દેશમાં માટી પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક બનાવવા માટે સ્ટાર્ટઅપ્સને આગળ આવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે કૃષિ અવશેષોનું સંચાલન પણ જરૂરી છે. આ માટે બજેટમાં કેટલાક ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે, જેનાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે અને ખેડૂતોને વધારાની આવક પણ મળશે.

Advertisment
Read the Next Article

ગઢચિરોલીમાં સલામતી દળો સાથેની અથડામણમાં ચાર નક્સલી ઠાર

ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે  કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં  ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.

New Update
naxalis

ગઢચિરોલી જિલ્લામાં મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર શુક્રવારે પોલીસના સ્પેશિયલ કમાન્ડો યુનિટ સી-૬૦ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં ચાર નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા,એમ એક વરિ અધિકારીએ જણાવ્યું હતું. 

Advertisment

અધિકારીએ કહ્યું હતું કે કવનડે વિસ્તારમાં તાજેતરમાં ખોલવામાં આવેલા એફઓબી (ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ) નજીક મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર નક્સલવાદી જૂથોની હાજરી અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે ગુરુવારે બપોરે એક ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદ વચ્ચે એક ડઝન સી-૬૦ ટુકડીઓ (૩૦૦ કમાન્ડો) અને સીઆરપીએફ ટીમે  કવનડે અને નેલગુંડા વિસ્તારોમાં  ઇન્દ્રાવતી નદીના કિનારે ઓપરેશન શરૃ કર્યું હતું.

જ્યારે શુક્રવારે સવારે ઘેરાબંધી કરવામાં આવી રહી હતી અને નદી કિનારાઓની શોધખોળ ચાલી રહી હતી, ત્યારે  નક્સલવાદીઓએસી-૬૦ કમાન્ડો પર અંધાધૂંધ ગોળીબાર શરૃ કર્યો હતો.સુરક્ષા દળોએ પણ સામે ફાયરિંગ કરી હતી.

તેમણે ઉમેર્યું કે, લગભગ બે કલાક સુધી તેમન વચ્ચે-વચ્ચે ગોળીબાર ચાલુ રહ્યો હતો.ુરક્ષા દળો દ્વારા વિસ્તારની શોધખોળ દરમિયાન ચાર  નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા.

આસિવાય  ઘટનાસ્થળેથી એક ઓટોમેટિક સેલ્ફ-લોડિંગ રાઇફલ, બે ૩૦૩  રાઇફલ, એક ગન, વોકી ટોકી, કેમ્પિંગ મટિરિયલ અને નક્સલી સાહિત્ય સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં આ એન્કાઉન્ટર છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા તેમના ટોચના નેતા બસવરાજુ સહિત ૨૭ નક્સલીઓને ઠાર મારવામાં આવ્યાના બે દિવસ પછી થયું છે.

Advertisment

છત્તીસગઢ રાજ્યમાં મોટા પાયે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.છત્તીસગઢ રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશનને કારણે એવી શંકા હતી કે નક્સલીઓ મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ઘૂસણખોરી કરશે.

આથી ગઢચિરોલી પોલીસે છત્તીસગઢ રાજ્ય સાથેની સરહદ સીલ કરી દીધી હતી. મોટા પાયે નક્સલી શોધ અભિયાન હાથ ધરવા માટે સી-૬૦ ટુકડીઓ મોકલવામાં આવી હતી. આમ આજે સવારે ગઢચિરોલી પોલીસને પણ મોટી સફળતા મળી હતી.

 

Advertisment
Latest Stories