Connect Gujarat
Featured

જુનાગઢ : ગાંધી જયંતિના દિવસે માજી સૈનિકોની “ગાંધીગીરી”, વિવિધ માંગણીઓ અંગે મુખ્યમંત્રીને લખ્યા ૩ હજાર પોસ્ટકાર્ડ

જુનાગઢ : ગાંધી જયંતિના દિવસે માજી સૈનિકોની “ગાંધીગીરી”, વિવિધ માંગણીઓ અંગે મુખ્યમંત્રીને લખ્યા ૩ હજાર પોસ્ટકાર્ડ
X

જુનાગઢ ખાતે ગાંધી જયંતિના દિવસે માજી સૈનિકોએ પોતાની 14 માંગણીઓને લઈને ગાંધીગીરી અપનાવી હતી. આ અંગેની રજૂઆતના ૩ હજાર જેટલા પોસ્ટકાર્ડ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખી પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધર્યું હતું.

અન્ય રાજ્યો કરતા ગુજરાતના માજી સૈનિકોને અનેક પ્રશ્નો છે, તે અંગેના 14 મુદ્દાની માંગણી અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનો નિવેડો ના આવતા ગાંધી જયંતિના દિવસે ગાંધીચિંધ્યા માર્ગે જુનાગઢ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના માજી સૈનિકોએ ગાંધીગીરી અપનાવી હતી. જેમાં માજી સૈનિકો દ્વારા 3 હજાર જેટલા પોસ્ટકાર્ડ લખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને શહીદ સૈનિકના પરિવારને અન્ય રાજ્યોમાં 1 કરોડથી વધુની સહાય મળે છે, તો અહી માત્ર 5 લાખ આપવામાં આવે છે. ઉપરાંત માજી સૈનિકોને જમીન, પ્લોટ, નોકરીમાં 10 ટકા અનામત મળે તે સહીતની રજૂઆત કરવામાં આવી હતી.

Next Story