Connect Gujarat
ગુજરાત

માંગરોળ પોરબંદર રોડ પર કાર પલ્ટી મારતા ૪ના મોત

માંગરોળ પોરબંદર રોડ પર કાર પલ્ટી મારતા ૪ના મોત
X

બહેનના લગ્ન પ્રસંગે જ ભાઈનું મોત

જૂનાગઢ માગરોળના પોરબંદર રોડ પર કલ્યાણ ધામ નજીક વહેલી સવારે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર પલ્ટીખાય ફોરેસ્ટની વિશ્રામ કુટીરની દીવાલ સાથે અથડાતા કારમા સવાર ચાર લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા, લોહાણા પરીવારમા બહેના લગ્નના દીવસે જ ભાઈનુ મોત ના સમાચાર થીખુશીનો પ્રસંગ ગમમા ફેરવાયો હતો, કાર ને બહાર કાઢવા વરામબાગના યુવાનો અને જીસીબી ની મદદ લેવી પડી હતી

આ ઘટના પગલે આસપાસના લોકોએ એક બાદ એક ચારેય લોકોને બહાર કાઢી લોકોની મદદ થી સરકારી હોસ્પીટલમા મોકલવામાં આવ્યા હતા,આ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોમાં નીખીલ વાળા, વીકી પીઠવા, મોહીત રાજા કોડીયાતર, દેવા દીનેશ કરમટાના કરૂણ મોત થયા હતા.

હાલ ચાર યુવાનમાથી બે યુવાન માગરોળ શક્તિ નગરમા રહેતા રબારી પરીવાર ના છે તેવું જાણમાં આવ્યું છે, જ્યારે બે યુવાનો લોહાણા પરીવાના છે તેમાથી એક યુવાન ની બહેનના આજે લગ્ન હોય ત્યારે ચાર ચાર યુવાનના મોતને પગલે સમગ્ર વિસ્તારમા ગમગીનીતા વ્યાપી જવા પામી છે,મહત્વ પુર્ણ છે કે થોડા દીવસ પહેલા આ રોડ પર ચાર ના મોત બાદ આજે વઘુ ચાર ના મોત થતા પોરબંદર રોડ અકસ્માતના નામે લોહિયાળ સાબિત થઈ રહ્યો છે.

Next Story