સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો ધમધમાટ શરૂ …!

New Update
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણનો ધમધમાટ શરૂ …!

આજે CM સહિત અનેક નેતાઓએ કર્યું સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કામનું નિરીક્ષણ

સરદાર સરોવર નર્મદા ડેમથી ત્રણ કિલોમીટર દૂર સાધુ બેટ પર બની રહેવા વિશ્વના સૌથી ઉંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. આ કામગીરીની સમીક્ષા કરવા આજે એટલે કે ૨૫મી ઓગસ્ટે રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ કેવડિયા કોલોની પહોંચી ગયા છે.

રાજ્યના મુખ્ય મંત્રી સવારે દસ કલાકે હેલિકોપ્ટરથી નવાગામ ખાતેના હેલી પેડ પર આગમન કર્યું હતું. જ્યાં તેઓ એક કલાક રોકાશે, જેમાં સ્ટેચ્યુ અને નર્મદા બંધ બંને જગ્યાએ મુલાકાત લેશે, મુખ્ય મંત્રીના આગમન ને લઈને નર્મદા પોલીસે કડક સુરક્ષા બંધોબસ્ત ગોઠવી દીધો છે.

આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં તેનું લોકાર્પણ કરવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી ૩૧મી ઓકટોબર પહેલા કામગીરી પૂર્ણ કરવાની હોવાથી હાલ એલ.એન.ટી કંપની એ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ને કોઈ રજાઓ પણ રદ કરી દીધી છે. અને સતત ચોવીસ કલાક સુધી કામ ચાલી રહ્યુ છે.

તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના કામની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે આજે સમીક્ષા કરવામાં આવી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હાલ સ્ટીલ અને કોંક્રીટનું કામ પૂર્ણ થઈ ગયું છે. સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા ૧૮૨ મીટર ઉંચી બનાવવામાં આવી છે.

અગાઉ પણ એક વખત સ્ટેચ્યુની કામગીરીનું નિરીક્ષણ કરી ગયા બાદ બીજીવાર મુખ્ય મંત્રી વિજય રૂપાણી કામગીરીની સમીક્ષા કરવા આવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ જયારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે દેશના વડા પ્રધાન ઉપરાંત અન્ય ચાર દેશોના રાષ્ટ્ર પ્રમુખ, અગીયાર રાજ્યોના મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ તબક્કે સુરક્ષાથી લઇને તમામ પ્રકારના આયોજન અંગે ચર્ચા કરવા આજે એક બેઠક રાખવામાં આવી છે. જેમાં સ્થાનીક અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ, નર્મદા નિગમના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે, ભાજપાના રાજકીય આગેવાનો પણ હાજર રહેશે.

Read the Next Article

સુરત : શિક્ષક પિતાએ બે પુત્રો સાથે અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું, પોલીસે શરૂ કરી તપાસ,આપઘાતનું કારણ અકબંધ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને

New Update

સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના

શિક્ષક પિતાએ બે પુત્રો સાથે કર્યો આપઘાત

આપઘાત પાછળનું કારણ અકબંધ

પિતા પુત્રોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા 

પોલીસે ઘટના અંગેની શરૂ કરી તપાસ

સુરત શહેરમાં આજે બે કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે  સુરતના લસકાણા વિસ્તારમાં 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી હતી. જેમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળક સારવાર હેઠળ છે. ત્યારે હવે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે જીવનનો અંત આણ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરતના ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશ કાંતિભાઈ સોલંકી ઉં.વ. 41 મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની છે,અને હાલ સુરતમાં પરિવાર સાથે રહે છે. મૃતક શિક્ષક અલ્પેશ સોલંકીએ પોતાના 2 વર્ષીય પુત્ર કર્નિશ અલ્પેશભાઈ સોલંકી અને 8 વર્ષીય પુત્ર ક્રીશીવ અલ્પેશભાઈ સોલંકી સાથે આપઘાત કરી લેતાં શોકનો માહોલ છવાયો છે. ગુરુવારે મોડી સાંજે તેમના ક્વાર્ટરમાંથી કોઈ પ્રતિસાદ ન મળતાં પાડોશીઓને શંકા ગઈ હતી. જ્યારે દરવાજો તોડીને અંદર જોયું તો ત્રણેય મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહ બેડ પર મૃત અવસ્થામાં મળી આવ્યા હતાજ્યારે અલ્પેશભાઇની ડેડબોડી લટકતી હાલતમાં મળી આવી હતી.

આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નથી. પ્રાથમિક તપાસમાં અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના પાછળ કયું કારણ જવાબદાર છે તે જાણવા પોલીસે શિક્ષકના પરિવારજનો અને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.