અંકલેશ્વર: NH 48 પર વાલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આવેલ આમલાખાડી પરના ઓવરબ્રિજથી લઈ રાજપીપળા ચોકડી સુધીના ઓવરબ્રિજ સુધી 3 થી 4 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી
ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે
ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રીજ ઉપર બંને તરફ સમારકામની NHAI દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જેને કારણે ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
ટ્રાફિકજામના પગલે અનેક વાહન ચાલકો અટવાયા હતા. સુરત તરફ જતી લેનમાં અંકલેશ્વરની વાલીયા ચોકડીથી રાજપીપળા ચોકડી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે
એક્સપ્રેસ હાઇવે પર મહી બ્રિજ પર રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે મહી બ્રિજ પર એક લેનના રસ્તામાંથી વાહનોએ પસાર થવું પડી રહ્યું છે.
નાનાસાંજા ગામથી મુલદ સુધી રોડના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. જેના કારણે રોડની એક સાઇડ પર વાહન વ્યવહાર ચાલુ હોવાના કારણે વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે