કાળનો કોળિયો : વડોદરાના પરિવારને જેસલમેર નજીક નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું મોત...
જેસલમેરના ફતેહગઢ નજીક આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી જેમાં પતિ-પત્ની અને પુત્રનું કરૂણ મોત નિપજ્યાં

હાલ ચાલતા દિવાળીના વેકેશનમાં બહાર ફરવા જઈ રહેલા વડોદરાના પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગત ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ નજીક આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, ત્યારે અકસ્માત સર્જાતા કારમાં સવાર વડોદરાના રહેવાસી પતિ-પત્ની અને પુત્ર મળી કુલ 3 લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરાના રહેવાસી 55 વર્ષીય પતિ જયદ્રથભાઈ, 52 વર્ષીય પત્ની આમિત્રી દેવી અને તેમના 2 પુત્ર, આ સાથે જ 30 વર્ષીય નીતિનભાઈ અને 35 વર્ષીય સત્યેન્દ્રભાઈ તેમજ 29 વર્ષીય પુત્રવધુ શિવમકુમારી અને 6 વર્ષીય પૌત્ર વિવાન અર્ટિગા કારમાં જેસલમેર ખાતે ફરવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન ગુરુવારે રાત્રે તેમની કાર આગળ ચાલી રહેલ પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી, ત્યારે ગંભીર અકસ્માતના પગલે ટ્રોલીનો ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતમાં જયદ્રથભાઈ, આમિત્રી દેવી અને નીતિનભાઈ નામના વ્યક્તિઓનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 3 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થાત જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. સમગ્ર બનાવની જાણ વડોદરા સ્થિત તેઓના પરિવારને થતાં તેઓ પણ જેસલમેર ખાતે જવા રવાના થયા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ: નેત્રંગના લાલ મંટોડી વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયું, 6 જુગારીયો...
22 May 2022 3:49 AM GMTઅમદાવાદ : IAS અધિકારી કે. રાજેશના કેસમાં CBIએ રફીક મેમણને કોર્ટમાં રજૂ ...
21 May 2022 4:14 PM GMTભાવનગર : મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરી પાલીતાણાના સામાજિક આગેવાને ...
21 May 2022 3:17 PM GMTભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ...
21 May 2022 2:56 PM GMTભાવનગર : 'આતંકવાદ વિરોધી દિન' નિમિત્તે સંકલન સમિતિના અધિકારીઓએ શપથ...
21 May 2022 2:38 PM GMT