વડોદરા : મહિલાઓએ બસ કંડક્ટરની ધૂલાઈ કરી, મુસાફરી વેળા કરી હતી છેડતી..!

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એસ.ટી. બસમાં મુસાફરી કરતી મહિલાઓની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે

New Update

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં એસ.ટી. બસમાં મુસાફરી કરતી મહિલાઓની છેડતી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં છેડતી કરનાર બસ કંડક્ટરને મહિલાઓએ મેથીપાક ચખાડ્યો હતો.

ગુજરાત રાજ્યના તમામ શહેરો મહિલાઓ માટે સુરક્ષિત માનવામાં આવેલ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજ્યના અનેક શહેરોમાં મહિલાઓની છેડતીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે, ત્યારે મહિલાની છેડતીનો વધુ એક કિસ્સો વડોદરા જિલ્લાના પાદરા ખાતે સામે આવ્યો છે. જેમાં મહિલાએ રોમિયોગિરી કરી રહેલ યુવક સામે હિંમત દાખવી મેથીપાક ચખાડ્યો હતો. પાદરાથી જંબુસર જઇ રહેલી બસમાં મુસાફરી કરી રહેલી મહિલાની બસ કંડક્ટર દ્ધારા છેલ્લા ઘણા સમયથી ચાલુ બસે છેડતી કરવામાં આવતી હતી, ત્યારે રોમિયો બસ કંડક્ટરની રોમિયોગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓએ રોમિયોગીરી કરતા કંડક્ટરને પાઠ ભણાવાનું મન બનાવી એ જ બસમાં મુસાફરી કરવા પહોંચી ગઈ હતી, જ્યાં બસમાં મુસાફરી કરી રહેલ મહિલાઓએ બસ કંડક્ટરને બરાબર મેથીપાક ચખાડ્યો હતી, જેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. બનાવના પગલે પોલીસે રોમિયોગીરી કરતા કંડક્ટરની અટકાયત કરી હતી.

Read the Next Article

વડોદરા : પાદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા, 9 વ્યક્તિના મોતની શક્યતા..!

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.

New Update
  • આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ પર દુર્ઘટના

  • ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડ્યો

  • બ્રિજ તૂટી પડતાં વાહન સમેત લોકો નદીમાં પડ્યા

  • દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતા

  • અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો વડોદરા જિલ્લાના પાદરા નજીક મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રકએક બોલેરો જીપ સહિત 4 વાહનો 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. છેલ્લા ઘણા વર્ષથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ થતા જ મુજપુર ગામના લોકો બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાજ્યાં મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડીયા મારતા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તો બીજી તરફબનાવની જાણ થતાં જ 20 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓ સહિત પાદરા પોલીસ કાફલો અનેNDRFની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ દુર્ઘટનામાં 9 લોકોના મોત નિપજ્યા હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છેજ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. પાદરા હોસ્પિટલમાં 6 અને વડોદરાની સયાજી હોસ્પિટલમાં 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે45 વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમારકામ માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે મોટી દુર્ઘટના સર્જાય છે. ઉલ્લેખનીય છે કેગંભીરા બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના પ્રવાસન અને પરિવહન વ્યવસ્થામાં ભારે ખલેલ પહોંચશે. આ બ્રિજ ભરૂચસુરતનવસારીતાપી અને વલસાડ સહિતના મુસાફરો માટે સૌરાષ્ટ્ર જવા માટે ઓછો ફેરાવો અને જલ્દી પહોંચવા માટે ફાયદાકારક હતો. જોકેહવે આ  બ્રિજ તૂટી પડતા દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે ભારે મથામણ કરવી પડશે તેમ ચર્ચાઇ રહ્યું છે.