અંકલેશ્વર જીઆઇડીસી કુત્રિમ કુંડમાં 1000 થી વધુ પ્રતિમાનું કરાયુ વિસર્જન

New Update
અંકલેશ્વર જીઆઇડીસી કુત્રિમ કુંડમાં 1000 થી વધુ પ્રતિમાનું કરાયુ વિસર્જન

અંકલેશ્વર જીઆઇડીસીનાં ઇએસઆઈસી હોસ્પિટલ પાસે બનાવવામાં આવેલ કુત્રિમ કુંડમાં 1062 પ્રતિમાઓનું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતુ.

publive-image

અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં વિઘ્નહર્તા દેવનું વિઘ્નરહિત વિસર્જનને પાર પાડવા માટે તંત્ર દ્વારા ઇએસઆઈસી હોસ્પિટલ પાસે કુત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું, અને જેમાં તબક્કાવાર ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુ.

publive-image

અંકલેશ્વર નોટી ફાઇડ એરિયા ઓથોરિટીનાં DPMC સેન્ટર તેમજ ફાયર સ્ટેશનનાં લાશ્કરોએ ભારે જહેમત ઉઠાવીને નિર્વિઘ્ને વિસર્જન પાર પાડયુ હતુ.

publive-image

જેમાં ગણેશ સ્થાપનાનાં એક દિવસ બાદથી તબક્કાવાર ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સફળતા પૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતુ.

વિસર્જીત થયેલ ગણેશ પ્રતિમાઓની વિગત :-

તારીખ વિસર્જીત પ્રતિમાઓની સંખ્યા

26 / 08 / 17 : 29

27 / 08 / 17 : 73

29 / 08 / 17 : 366

31 / 08 / 17 : 190

02 / 09 / 17 : 11

03 / 09 / 17 : 38

05 / 09 / 17 : 355

---------------------------------

કુલ : 1062

Read the Next Article

ડેડિયાપાડામાં આપની MLA ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા, આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું

New Update
  • દેડિયાપાડામાં આપની યોજાઈ વિશાળ જનસભા

  • MLAચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા

  • આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો 

  • અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

  • ગોપાલ ઇટાલિયાએ ચૈતરની ધરપકડને ખોટી ગણાવી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાના'ખોટા કેસ અને ધરપકડ'ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાંAAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા,હેમંત ખવા,આપ મહામંત્રી સાગર રબારી,યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરૂ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતરને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરૂ કરી છે. ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે,તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એને ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે'જેલના તાળા તૂટશે,ચૈતર વસાવા છૂટશે'ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી. આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અનેAAPકાર્યકરો ઉમટી પડ્યા હતા,જે ચૈતર વસાવાના સમર્થનમાં મજબૂત જનમત દર્શાવે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ચૈતર વસાવાએ વડોદરા જેલમાંથી લખેલા આદિવાસી સમાજના સમર્થનમાં આપેલો મેસેજ વાંચી સંભળાવ્યો હતો.

દેડિયાપાડાથી સંબોધન કરતા આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હૂંકાર કર્યો હતો કે, 'આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજ અને ચૈતર વસાવા સાથે અડીખમ ઉભી છે. જ્યારે પણ ભાજપ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે ત્યારે આદિવાસી સમાજ વતી લડવા આમ આદમી પાર્ટી હંમેશા હાજર રહેશે.

આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, 'ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં આદિવાસી સમાજના હકના2500કરોડ રૂપિયા ખાઈ ગયા છે.તેમણે દાવો કર્યો કે,ચૈતરએ આ કૌભાંડનો ખુલાસો કર્યો એટલે ભાજપે તેમને જેલમાં ધકેલી દીધા છે.ઈટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનમાં જણાવ્યું કે, 'જ્યારે પણ ચૈતરને જરૂર પડી ત્યારે જનતા અને આખી આમ આદમી પાર્ટી હાજર રહી છે અને રહેશે..