અરગામાની નેરોલેક કંપનીમાંથી 6 લાખની પાઇપ ચોરીમાં બે ઝડપાયા

New Update
અરગામાની નેરોલેક કંપનીમાંથી  6 લાખની પાઇપ ચોરીમાં બે ઝડપાયા

વાગરાનાં અરગામા કેમીકલ એસ્ટેટ ખાતે આવેલ નેરોલેક કંપની માંથી 6 લાખ રૂપિયાની 125 નંગ પાઇપ ચોરીની ઘટના બની હતી. વાગરા પોલીસે બે ઈસમોની ધરપકડ કરી છે.

વાગરા તાલુકાનાં અરગામા ગામની હદમાં નેરોલેક કંપનીનું બાંધકામ કાર્ય પ્રગતિમાં ચાલી રહયુ છે. કેમીકલ ઝોનમાં બનતી કંપનીનાં નિર્માણ કાર્યમાં જુદાજુદા કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. નેરોલેક કંપનીનાં કેમ્પસમાં આવેલ ગોલ્ડન એન્જીનિયરિંગ ફિલ્ડના કંપાઉન્ડ માંથી ગત જૂન માસ દરમિયાન ચોરોએ છ લાખ રૂપિયાની અલગ અલગ સાઈઝની એસ.એસની 125 નંગ પાઇપો ચોરીને ફરાર થઈ ગયા હતા. જે અંગેની વાગરા પોલીસ મથકે બાલમુર્ગન કાલીદાસ કામચી રહે. ભંગાર કોલોની, બાયપાસ પાસે ભરૂચ,મૂળ રહે તમિલનાડુ નાઓએ ફરિયાદ નોંધાવી હતી.

તારીખ 11મી સપ્ટેમ્બરના રોજ વાગરા પોલીસે નેરોલેક કંપનીની પાઇપ ચોરીમાં બે તસ્કરોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જયારે આ ચોરીમાં સંડોવાયેલ ઉત્તર પ્રદેશનો પરપ્રાંતીય ઈસમ હજી ફરાર છે. ચોરીમાં ઝડપાયેલા બે યુવકો પૈકી શબ્બીર મુહંમદ ગુલામ મલેક જંબુસર તાલુકાના દહેગામ ગામનો વતની છે.જે અગાઉ પણ વિલાયત જી.આઈ.ડી.સી માંથી થયેલ ભંગાર ચોરીમાં પણ તેનું નામ ખુલ્યુ હતુ.જયારે અન્ય ઈસમ ઇનાયત ઇકબાલ પટેલ ભરૂચ તાલુકાના કંથારીયા ગામની નેશનલ પાર્ક સોસાયટીનો રહીશ હોવાનુ બહાર આવ્યુ છે.

ચોરીમાં ઝડપાયેલા યુવકો બાંધકામ ચાલતુ હોય તેની નવી કંપનીઓને ટાર્ગેટ બનાવતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.ચોરીમાં વપરાયેલ મારુતિ વાન પર પ્રેસ તેમજ ભારતીય જનતા પક્ષના પ્રતીક કમળનું સિમ્બોલ ચીતરાવેલું હતુ આમ ચોરીને અંજામ આપનાર ઈસમો મીડિયા તેમજ રાજકીય પ્રતીકોનું સુપેરે દુરુપયોગ કરી પોતાના કરતૂતોને પાર પાડતા હોવાની ગંભીર બાબત સામે આવી છે.

Read the Next Article

ડેડિયાપાડામાં આપની MLA ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા, આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો

પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે, તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું

New Update
  • દેડિયાપાડામાં આપની યોજાઈ વિશાળ જનસભા

  • MLAચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ જનસભા

  • આદિવાસી સમાજનો જનસેલાબ ઉમટી પડ્યો 

  • અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

  • ગોપાલ ઇટાલિયાએ ચૈતરની ધરપકડને ખોટી ગણાવી

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજ અને આપ ધારાસભ્ય ચૈતર વસાવાના'ખોટા કેસ અને ધરપકડ'ના વિરોધમાં તેમનું સમર્થન કરવાનો હતો. આ જનસભામાંAAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ,પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન,ઇસુદાન ગઢવી,ગોપાલ ઇટાલિયા,હેમંત ખવા,આપ મહામંત્રી સાગર રબારી,યુવરાજસિંહ જાડેજા સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

સભાને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'જ્યારે ચૈતર વસાવાએ ભાજપે કરેલા મનરેગા કૌભાંડની પોલ ખોલવાની શરૂ કરી ત્યારે તેનાથી ડરીને ભાજપે ચૈતરને ખોટા કેસમાં ફસાવવાની તૈયારી શરૂ કરી છે. ભાજપ-કોંગ્રેસે હંમેશા આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ચૈતર વસાવાને આદિવાસી સમાજનો દીકરો ગણાવતા કહ્યું કે,તમારા દીકરા ચૈતર વસાવાએ તમારા હક અને અધિકારો અપાવવાનું કામ કર્યું અને તેના માટે એને ભાજપ જેવી ક્રૂર પાર્ટી સામે લડવાનું કામ કર્યું. તેમણે'જેલના તાળા તૂટશે,ચૈતર વસાવા છૂટશે'ના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો.

આ સભામાં હાજર અન્ય નેતાઓએ પણ ભાજપની નીતિઓ અને આદિવાસી સમાજ પ્રત્યેના તેમના વલણની ટીકા કરી હતી. આદિવાસી સમાજ પર થઈ રહેલા અન્યાય સામે એકજૂટ થવા અને ચૈતર વસાવાને ન્યાય અપાવવા માટે હાકલ કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અનેAAPકાર્યકરો ઉમટી પડ્યા હતા,જે ચૈતર વસાવાના સમર્થનમાં મજબૂત જનમત દર્શાવે છે.

ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ ચૈતર વસાવાએ વડોદરા જેલમાંથી લખેલા આદિવાસી સમાજના સમર્થનમાં આપેલો મેસેજ વાંચી સંભળાવ્યો હતો.

દેડિયાપાડાથી સંબોધન કરતા આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ હૂંકાર કર્યો હતો કે, 'આમ આદમી પાર્ટી સમગ્ર આદિવાસી સમાજ અને ચૈતર વસાવા સાથે અડીખમ ઉભી છે. જ્યારે પણ ભાજપ આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે ત્યારે આદિવાસી સમાજ વતી લડવા આમ આદમી પાર્ટી હંમેશા હાજર રહેશે.

આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, 'ભાજપના નેતાઓ મનરેગા યોજનામાં આદિવાસી સમાજના હકના2500કરોડ રૂપિયા ખાઈ ગયા છે.તેમણે દાવો કર્યો કે,ચૈતરએ આ કૌભાંડનો ખુલાસો કર્યો એટલે ભાજપે તેમને જેલમાં ધકેલી દીધા છે.ઈટાલિયાએ ચૈતર વસાવાના સમર્થનમાં જણાવ્યું કે, 'જ્યારે પણ ચૈતરને જરૂર પડી ત્યારે જનતા અને આખી આમ આદમી પાર્ટી હાજર રહી છે અને રહેશે..