Connect Gujarat
Featured

કોવિડ -19 : રાજ્યમાં આજે 1310 નવા કેસ નોધાયા,15 દર્દીઓના મોત

કોવિડ -19 : રાજ્યમાં આજે 1310 નવા કેસ નોધાયા,15 દર્દીઓના મોત
X

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1310 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. અને વધુ 15 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં આજે 1250 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,40,055 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3478 થયો છે.

રાજ્યમાં આજે 1310 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 177, અમદાવાદ કોર્પોરેશનમાં 173, સુરતમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશનમાં 87, જામનગર કોર્પોરેશનમાં 64, રાજકોટ-45, વડોદરા-42, મહેસાણામાં 36, ભરુચ-32, કચ્છ-31, અમરેલી-28, ગાંધીનગર કોર્પોરેશન-28, પાટણ-27, બનાસકાંઠામાં 26, અમદાવાદ-25, જામનગર-22, જુનાગઢ કોર્પોરેશન-21, પંચમહાલ-21, સુરેન્દ્રનગર-21, મોરબી-20, ભાવનગર કોર્પોરેશન-18, ગાંધીનગર-17, નર્મદામાં 14 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 15 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, બનાસકાંઠા-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, જામનગર-1, રાજકોટ-1, સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1250 દર્દી સાજા થયા હતા અને 56,732 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 45,31,498 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.55 ટકા છે. રાજ્યમાં હાલ 16762 એક્ટિવ કેસ છે, જ્યારે 119815 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 16678 લોકો સ્ટેબલ છે.

Next Story