અંકલેશ્વર શહેરનાં સુથાર ફળિયામાં અનાજ અને કઠોળ માંથી ગણેશજીનો યુવક મંડળે અલૌકિક શણગાર કર્યો

New Update
અંકલેશ્વર શહેરનાં સુથાર ફળિયામાં અનાજ અને કઠોળ માંથી ગણેશજીનો યુવક મંડળે અલૌકિક શણગાર કર્યો

અંકલેશ્વર શહેરનાં સુથાર ફળિયામાં ગણેશ યુવક મંડળ હાલમાં મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ગણેશોત્સવ પ્રસંગે ભક્તિની સાથે વિઘ્નહર્તા દેવનાં સુંદર શણગારનાં દર્શન માટે ભક્તો ઉમટી રહ્યા છે.

ગણેશોત્સવમાં બાપ્પાનાં ભક્તો દ્વારા સુંદર સજાવટ કરેલા મંડપ બનાવીને ભક્તિભાવ પૂર્વક ગણપતિજીનું સ્થાપન કરવામાં આવે છે.ત્યારે અંકલેશ્વર શહેરના સુથાર ફળિયા ગણેશ યુવક મંડળે અનાજ અને કઠોળ માંથી ગણપતિની પ્રતિમા તૈયાર કરીને સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

યુવક મંડળનાં અજય મોદીએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ગણેશજીની પ્રતિમા પર અનાજ અને જુદાજુદા કઠોળ લગાડવા માટે યુવક મંડળના યુવાનો બે મહિનાથી મહેનત કરી રહ્યા હતા, અને તેમાં બે પ્રકારના રાજમા, વાલની દાળ, કાળા મગ, લીલા મગ, મસૂરની દાળ, ચોળી, સફેદ ચોળા, ઘઉં, જુવાર, બાજરી, ચોખા, મકાઈ, આખા મસૂર, મગની દાળ, ચણાની દાળ, તુવર ,દેશી ચણા, છોલે ચણા, લીલા વટાણા, સફેદ વટાણાનો ઉપયોગ કરીને ગણેશજીની પ્રતિમાને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે.

ગણેશોત્સવ દરમિયાન વરસાદી માહોલ હોવા છતાં પણ સુથાર ફળીયા ગણેશ યુવક મંડળ દ્વારા સ્થાપન કરવામાં આવેલ અનાજ કઠોળનાં ગણપતિની પ્રતિમાનાં મોટી સંખ્યામાં દર્શન અર્થે ભક્તો આવી રહ્યા છે, અને યુવક મંડળની મહેનતને પણ બિરદાવી રહ્યા છે.

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.