અંકલેશ્વર સંસ્કારદીપ શાળા ખાતે માતૃદેવો ભવઃની ભાવનાને ઉજાગર કરતા બાળકો

New Update
અંકલેશ્વર સંસ્કારદીપ શાળા ખાતે માતૃદેવો ભવઃની ભાવનાને ઉજાગર કરતા બાળકો

અંકલેશ્વર જીઆઇડીસીની સંસ્કારદીપ વિદ્યાલય ખાતે નવરાત્રીનાં પાવન અવસર નિમિત્તે માતૃપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

માતૃદેવો ભવઃ ની ભાવનાને ઉજાગર કરવા માટે આસો નવરાત્રીનાં પ્રથમ દિવસે અંકલેશ્વર જીઆઇડીસી ખાતેની સંસ્કારદીપ શાળામાં માતૃપૂજનનાં અનેરા ઉત્સવની ધર્મભીની ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસર નિમિત્તે શાળામાં નાની મંડળી થી લઈને ધોરણ 10માં અભ્યાસ કરતા અંદાજીત 1000 થી પણ વધુ વિદ્યાર્થીઓએ પોતાની માતાને કુમકુમ તિલક કરીને માતૃપૂજન કર્યુ હતુ.

આ પ્રસંગે ઝઘડીયાનાં શારદા મઠનાં મીરા માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા. જ્યારે ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશ પટેલ, સંસ્કારદીપ ટ્રસ્ટનાં એન.કે.નાવડીયા,શાળાનાં આચાર્ય જયશ્રીબેન શેઠ, નિયામક સુધાબેન વડગામા, નરેશ પુંજારા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી
Latest Stories