અમદાવાદની પોલીસે માનવતા મહેકાવી:આધેડને આપવામાં આવી સારવાર

New Update
અમદાવાદની પોલીસે માનવતા મહેકાવી:આધેડને આપવામાં આવી સારવાર

અમદાવાદના ખોખરા પોલીસે પોતાની માનવતા દાખવીને માનવતાનો સંદેશ આપતા કરુણાની મહેક પસરાવી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ હાટકેશ્વર વિસ્તારમાં ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમની નજર આ આધેડ પર પડતા તેની વ્યથાનો તાગ મેળવતા ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અને પોલિસ ઇન્સ્પેક્ટર દ્વારા તેની સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ખડેપગે ઉભા રહી સારવાર કરાવવામાં આવી હતી.

અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમા વષોઁ પહેલા રહેતા અને મિલ બંધ પડતા તેમજ પરિવાર થી અલગ થઈને દેવાના ડુંગરમા ડુબી જઈને સર્વસ્વ ગુમાવી દીધેલ આધેડ બાવન વર્ષેના આધેડ રસ્તા પર ફરી ને રામરોટી ખાઈને જીવન વ્યતિત કરતો આધેડ પંદરેક દિવસથી કામના મળતા અને પગમા અકસ્માતે ઈજાગ્રસ્ત બનતા હાટકેસવર સર્કલ પાસે સમશાન ગૃહની સામે વરસતા વરસાદ મા તેનો પગ સતત પલળતા પરુ થયા બાદ તે સડી જતા તેમજ કીડા ઓ સાથે જીવડાઓ પડીને ખદબદતા પગ સાથે લાચાર નિસહ્યાય હાલતમા રહેતા આધેડની મદદે ખોખરા પોલિસ ઈન્સપેકટર તેમજ સ્થાનિક કોરપોરેટર અને સ્થાનિક કાર્યકરોએ પહેલ કરી તેને સારવાર માટે AMCની મણીનગરની એલ.જી હોસ્પિટલમા ખસેડીને તેની સાથે હોસ્પિટલમા ખડેપગે રહ્યીને સારવાર કરાવવામાં આવી હતી તથા માનવતાનો સંદેશ આપ્યો હતો.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.