જમ્મુ કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો કલમ ૩૭૦ રદ કરવાનો નિર્ણય આવકારદાયક: સંદીપ માંગરોલા

કોંગ્રેસ અગ્રણી અને ગણેશ સુગર ના ચેરમેન સંદીપ માંગરોલા એ મોદી સરકારના જમ્મુ કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો કલમ ૩૭૦ રદ કરવાના નિર્ણયને આવકારદાયક ગણાવી સંસદ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત સુગર ફેડરેશન ના પ્રતિનિધિ મંડળ સાથે મળી અભિનંદન પાઠવ્યા હતા. તેમને જણાવ્યું છે કે આ એક એતિહાસિક અને હિંમત ભર્યું પગલું સરકારે ભર્યું છે. જે આવકારદાયક છે. પરંતુ કેટલાક લોકો સ્વતંત્રતા સમયે તત્કાલીન નેતૃત્વ એ કરેલી ભૂલને સુધારી એ વાત ખોટી છે.એ સમયની જરૂરિયાત મુજબ કાશ્મીરને ભારત સાથે જોડવા કલમ ૩૭૦ હેઠળ વિશિષ્ટ દરજ્જો આપવામાં આવેલો હતો.
[gallery td_select_gallery_slide="slide" size="full" ids="106374,106375"]
તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વની દીર્ઘદ્રષ્ટિને કારણે કાશ્મીર આજે ભારતનો અભિન્ન ભાગ છે. ભારતના બંધારણમાં પણ કલમ ૩૭૦ માટે હંગામી જોગવાઈ રાખવામાં આવેલી એનો અર્થ કાયમી વિશિષ્ટ દરજ્જો કાશ્મીરને પંડિત જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ આપવાના મતનું ન હતું. આજના સંજોગોને ધ્યાનમાં રાખી મોદી સરકારે જે પગલું ભર્યું છે એ પણ ઉચિત છે. કલમ ૩૭૦ દૂર કરવામાં ગણો વિલંબ થયો એ પણ હકીકત છે.અગાઉની સરકારોએ ન ઝડપી એ તક મોદી સરકારે ઝડપી છે.
પરંતુ આ મુદ્દા ઉપર રાષ્ટ્રીય ભાવના જોડાયેલી હોય તમામ રાજકીય નેતાઓએ રાજકારણ ના અંગત સ્વાર્થથી પર રહી પોતાની ભૂમિકા અદા કરવાની આજની જરૂરિયાત છે. વધુમાં માંગરોલા એ કેટલાક નેતાઓ રાજકીય લાભ ખાતવા માટે પંડિત નહેરુ અને કોંગ્રેસને દોષિત ઠેરવે છે એ અયોગ્ય છે એમ જણાવ્યું હતું.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT