જૂનાગઢ : “તડપતી જિંદગી”, અનૈતિક સંબંધના આક્ષેપથી પિતરાઇ ભાઈ-બહેનનો આપઘાત..!

New Update
જૂનાગઢ : “તડપતી જિંદગી”, અનૈતિક સંબંધના આક્ષેપથી પિતરાઇ ભાઈ-બહેનનો આપઘાત..!

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં પિતરાઇ ભાઈ બહેન દવા પીધેલી હાલતમાં રસ્તા ઉપર જ તડફડિયા મારતા નજરે પડ્યા હતા. યુવક અને યુવતીએ યુવકના સાળાના આક્ષેપ અને ધમકીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

તમે

ક્યારે મોતને નજીકથી જોઈ છે..? જુઓ આ દ્રશ્યો... મોત પહેલા તડપતા ભાઈ અને બહેન... જુનાગઢ જિલ્લાના કેશોદની

આ ઘટનાના દ્રશ્યો થરથર કંપાવી દે તેવા છે. પિતરાઇ બહેન સાથે અનૈતિક સંબંધના આક્ષેપ

કરી ડરાવતા સાળાના ત્રાસથી યુવકે એક ઝટકામાં ઝેર ગટગટાવી લીધું હતું. માત્ર યુવકે

જ નહીં પણ પોતાની પિતરાઇ બહેને પણ દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું, જ્યારે યુવકની હાલત ગંભીર જણાઈ આવી હતી.

કેશોદના

ત્રાંગળશા પીરની દરગાહ પાસે એક 23 વર્ષીય યુવક અને યુવતી દવા પીધેલી હાલતમાં નજરે

પડ્યા હતા. જીવનની છેલ્લી ઘડીઓ ગણતાં બન્ને કૌટુંબિક ભાઈ-બહેન છે. દવા પીધા બાદ

તરફડિયાં મારતો યુવક શું કહે છે જરા સાંભળો…

યુવકની મૃત્યુની ક્ષણો ગણાઈ રહી છે

અને ચહેરા પર ડર સાથે તે કહી રહ્યો છે... તે મને બીવડાવે છે અને મને તથા મારી

પિતરાઇ બહેન વચ્ચે અનૈતિક સંબંધો હોવાનું કહી બદનામ કરે છે. અને મારી સગાઇ તોડાવી

નાંખવાની ધમકી આપે છે.

ઘટના

સ્થળે બન્નેની હાલત ગંભીર જણાતા કોઈએ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કોલ કર્યો.

એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને બન્નેને દવા પીધેલી હાલતમાં કેશોદની હોસ્પિટલ

લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત વધુ ગંભીર જણાતા ત્યાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલ

ખસેડવામાં આવ્યા હતા. જોકે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું.

જ્યારે યુવાનની હાલત હજુ પણ ગંભીર છે. ઝેરી દવા પીધા પહેલા યુવાને ચાલુ બાઇક પર એક

વીડિયો બનાવ્યો હતો. અહીં એ પણ સાંભળો આ યુવક શું કહી રહ્યો છે...

વિડિયોમાં યુવક કહી રહ્યો છે કે, મેં કોઇનું કાંઇ બગાડ્યું નથી. જે

માણસમાં લાગણી વધારે હોય એ જીવી ન શકે. થોડા દિવસ પહેલા જ વિડિયોમાં આ યુવકે

આત્મહત્યાના સંકેત આપ્યા હોય તેમ સાફ જણાઈ આવે છે. જોકે એક આક્ષેપ અને બીક એ બે આશાસ્પદ

જીવનના ભોગ લઈ લેશે તેમ કદાચ આ બન્ને યુવક-યુવતીના પરિવારે ક્યારેય નહીં વિચાર્યું

હોય.

Read the Next Article

ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.