ડો. હેમંત માથુરે સફળતાપૂર્વક ૧૯ માસમાં કરી ૫૯૯ ઘૂંટણ અને થાપાની સર્જરી

New Update
ડો. હેમંત માથુરે સફળતાપૂર્વક ૧૯ માસમાં કરી ૫૯૯ ઘૂંટણ અને થાપાની સર્જરી

હીપ અને ની સર્જરીમાં પ્રવીણતા ધરાવતા અને ખ્યાતનામ ડો. હેમંત માથુર મે-૨૦૧૮ થી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ઘૂંટણ અને થાપાની ૫૯૯ સર્જરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ડો. હેમંત માથુર માનવીય અભિગમ દાખવી કોઈ જરૂરિયાતમંદ પાસે મા-કાર્ડ કે આયુષમાન ભારત યોજનાનું કાર્ડ ન હોય તો પોતે અંગત રસ દાખવીને અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વર સાથે સંકલન કરીને રોગી કલ્યાણ સમિતિના ભંડોળમાંથી નિ:શુલ્ક સારવાર કરાવવા વ્યવસ્થા કરાવી આપે છે. આજે કેટલાય ગરીબ દર્દીઓ તેમનો આભાર માનતા થાકતા નથી.

સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ડમેન્ટના વડા અને પ્રોફેસર ડો. હેમંત માથુરના એસ.એસ.જી. હોસ્પિટલમાં સહયોગી તરીકે કામ કરતા ડો. જય પટેલ કહે છે કે, હેમંત માથુર સર, ખાસ કરીને હીપ અને ની સર્જરીમાં તેમની નિપુણતા અને ખ્યાતિ એટલી છે કે, અમેરિકા, સ્વીડન સહિતના દેશોમાંથી અને દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી દર્દીઓ આવે છે. તેમજ તેઓની પાસે સર્જરી કરતા રિવિજન સર્જરી માટે મોટી સંખ્યમાં દર્દીઓ આવે છે. રિવિજન સર્જરી એટલે એકવાર સર્જરી કરવા છતાં તેમાં ઉણપ રહી ગયેલી હોય તેવી સર્જરી, તેને તેઓ ઠીક કરી આપે છે. તેઓની પ્રવીણતા એવી કે, માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં સર્જરી કરી ઓપરેશન થિયેટરની બહાર આવી જાય !  

આગળ વાત કરતા ડો. જય પટેલ કહે છે કે, આ વર્ષે ૫૯૯ જેટલી હીપ અને ની સર્જરી કરી છે. ઉપરાંત હાડકા સંબંધિત કેટલીય સર્જરી-ઓપરેશન સફળતાપૂર્વક કર્યાં છે. અને ગણતરીના દિવસોમાં જ દર્દીઓ ચાલતા થઈ જાય છે. આપણું અને વડોદરા શહેરનું સદભાગ્ય છે કે, હેમંત માથુર જેવા ડોક્ટર આપણને સાપડ્યા છે.

ડો. હિમાંશુ માથુર ઘૂંટણના દુખાવા અંગે વાત કરતા કહે છે કે, ભારતીય જીવનશૈલી એવી છે કે, ઉભા પગે રહેવાનુ અને પલાઠી વાળીની બેસવાનું વધુ રહેતુ હોય છે. જેથી પશ્વિમના દેશોની સરખામણીમાં ઘૂંટણનો ઘસારો વધુ થતો હોય છે. અને આજે તો મોટી ઉંમરના લોકોમાં ઘૂંટણની દુખાવો સામાન્ય થઈ ગયો છે.

રાજ્ય સરકાર આ સર્જરી માટે ૪૦ હજારની સહાય આપતી હતી પરંતુ ઘૂંટણ અને થાપાનું ઓપરેશન બહુ ખર્ચાળ હોવાથી સરકારે હવે મા અમૃત્તમ યોજના અને આયુસમાન ભારત યોજના એક સાથે જોડી દીધી છે. જેથી હવે હીપ અને ની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપાવમાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર ઇમ્પલાંટ માટે જુદી ગ્રાંટ આપે છે અને ફ્રેક્ચર માટે પ્લેટ, રોડ જેવી સાધન સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

સામાન્ય રીતે ઘૂંટણ અને થાપની ખર્ચાળ સર્જરીમાં ૧.૫૦ થી ૨ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. જે ગરીબ મધ્યમ વર્ગને પરવડે નહિં. ત્યારે માં અમૃત્તમ અને આયુષમાન ભારત યોજનાના માધ્યમથી વિનામુલ્યે સારવાર મળી રહે છે. જે ખરેખર  સામાન્ય લોકો માટે આશીર્વાદ સમી છે.

Read the Next Article

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપો આ ખોરાક : નિષ્ણાત

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને સક્રિય જીવનશૈલી જરૂરી છે, જેના કારણે તેમનું શરીર આપમેળે મજબૂત બને છે.

New Update
immunity

બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, યોગ્ય આહાર, પૂરતી ઊંઘ, સ્વચ્છતા અને સક્રિય જીવનશૈલી જરૂરી છે, જેના કારણે તેમનું શરીર આપમેળે મજબૂત બને છે. આ લેખમાં દર્શાવેલ નાની આદતો જ તેમને મોટો ફાયદો આપી શકે છે અને તેમને સ્વસ્થ, ખુશ અને સક્રિય રાખી શકે છે.

કોઈને હસતા બાળકો પસંદ નથી. જો બાળકોને સારા આહારની સાથે યોગ્ય પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેમને રોગોથી બચાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે હવામાન બદલાતાની સાથે જ બાળકોને વારંવાર શરદી, ઉધરસ અથવા તાવની તકલીફ થાય છે. આનું મુખ્ય કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ હોઈ શકે છે.

બદલાતું હવામાન (વરસાદની ઋતુમાં બાળકોની સંભાળ કેવી રીતે રાખવી), ધૂળ અને બહારનો ખોરાક, આ બધાની બાળકોના સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો વારંવાર શરદી, પેટમાં દુખાવો અથવા તાવથી પરેશાન થાય છે. આનું મુખ્ય કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ છે. જો બાળકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય, તો તેમનું શરીર જાતે જ રોગો સામે લડવા સક્ષમ બને છે. સારી વાત એ છે કે કેટલાક સરળ ઘરેલું ઉપચાર અને સ્વસ્થ આદતો અપનાવીને, તમે કુદરતી રીતે બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો.

દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે બાળકોના પેટને સ્વસ્થ રાખે છે અને સારા બેક્ટેરિયા વધારે છે. આ રોગપ્રતિકારક શક્તિ (શું ખવડાવવું?) ને મજબૂત બનાવે છે અને પાચનમાં પણ સુધારો કરે છે. ઠંડા દહીં ઉનાળામાં બાળકોને ઘણી રાહત આપે છે. તમે તેને ફળો ભેળવીને સ્મૂધી અથવા લસ્સી તરીકે પણ આપી શકો છો.

હળદરમાં જોવા મળતું કર્ક્યુમિન એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. રાત્રે બાળકોને હળદરનું દૂધ આપવાથી તેમની ઊંઘ સારી થાય છે અને શરીરમાં બળતરા અથવા બેક્ટેરિયા સામે લડવાની શક્તિ મળે છે. હળદરનું દૂધ ગળાના દુખાવા, ખાંસી અને શરદીમાં પણ ખૂબ અસરકારક છે.

આ સૂકા ફળો (જેમણે તે ન ખાવા જોઈએ) માં વિટામિન E, સ્વસ્થ ચરબી અને ઝીંક હોય છે, જે બાળકોના મગજ અને રોગપ્રતિકારક શક્તિ બંને માટે જરૂરી છે. તમે તેમને પીસીને દૂધમાં ઉમેરી શકો છો અથવા હળવા શેકીને નાસ્તા તરીકે આપી શકો છો.

ખાસ કરીને નારંગી, કીવી, પપૈયા, જામફળ જેવા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ફળો એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

પાલક, ગાજર, શક્કરિયા અને ટામેટા જેવા રંગબેરંગી શાકભાજીમાં વિટામિન A, આયર્ન અને ફાઇબર હોય છે. તે બાળકોના આંતરિક શરીરને શુદ્ધ કરે છે અને તેમને ઉર્જા પણ આપે છે. તમે તેમને પરાઠા, સૂપ અથવા કટલેટ જેવા બનાવી શકો છો જેથી બાળકો તેમને સરળતાથી ખાઈ શકે.

ઈંડું પ્રોટીન અને વિટામિન B12 નો સારો સ્ત્રોત છે. કઠોળમાં પ્રોટીન અને આયર્ન પણ હોય છે. આ બંને વસ્તુઓ શરીરના કોષોને શક્તિ આપે છે અને બાળકોના વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ માટે મહત્વપૂર્ણ છે.

મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. તમે તેને હૂંફાળા પાણી અથવા દૂધમાં ભેળવીને આપી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે એક વર્ષથી નાના બાળકોને મધ ન આપવું જોઈએ.

બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી મુશ્કેલ કાર્ય નથી. ફક્ત થોડી સમજ અને યોગ્ય ખોરાકની પસંદગી જરૂરી છે. બાળકોને દરરોજ તાજો, રંગબેરંગી અને પૌષ્ટિક ખોરાક આપો, જેથી તેમનું શરીર રોગોથી બચી શકે અને તેઓ સ્વસ્થ રહે. તેમજ ખાતરી કરો કે બાળકોને પૂરતી ઊંઘ મળે, સૂર્યપ્રકાશમાં થોડો સમય રમવું અને સ્વચ્છતાનું પાલન કરવું, આ બધું મળીને તેમની રોગપ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવશે.

 Health is Wealth | boost immunity | childrens health | Healthy Food