Connect Gujarat
આરોગ્ય 

ડો. હેમંત માથુરે સફળતાપૂર્વક ૧૯ માસમાં કરી ૫૯૯ ઘૂંટણ અને થાપાની સર્જરી

ડો. હેમંત માથુરે સફળતાપૂર્વક ૧૯ માસમાં કરી ૫૯૯ ઘૂંટણ અને થાપાની સર્જરી
X

હીપ અને ની સર્જરીમાં પ્રવીણતા ધરાવતા અને ખ્યાતનામ ડો. હેમંત માથુર મે-૨૦૧૮ થી નવેમ્બર ૨૦૧૯ સુધીમાં ઘૂંટણ અને થાપાની ૫૯૯ સર્જરી સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. ડો. હેમંત માથુર માનવીય અભિગમ દાખવી કોઈ જરૂરિયાતમંદ પાસે મા-કાર્ડ કે આયુષમાન ભારત યોજનાનું કાર્ડ ન હોય તો પોતે અંગત રસ દાખવીને અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજીવ દેવેશ્વર સાથે સંકલન કરીને રોગી કલ્યાણ સમિતિના ભંડોળમાંથી નિ:શુલ્ક સારવાર કરાવવા વ્યવસ્થા કરાવી આપે છે. આજે કેટલાય ગરીબ દર્દીઓ તેમનો આભાર માનતા થાકતા નથી.

સરકારી મેડિકલ કોલેજના ઓર્થોપેડિક ડિપાર્ડમેન્ટના વડા અને પ્રોફેસર ડો. હેમંત માથુરના એસ.એસ.જી. હોસ્પિટલમાં સહયોગી તરીકે કામ કરતા ડો. જય પટેલ કહે છે કે, હેમંત માથુર સર, ખાસ કરીને હીપ અને ની સર્જરીમાં તેમની નિપુણતા અને ખ્યાતિ એટલી છે કે, અમેરિકા, સ્વીડન સહિતના દેશોમાંથી અને દેશના મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાંથી દર્દીઓ આવે છે. તેમજ તેઓની પાસે સર્જરી કરતા રિવિજન સર્જરી માટે મોટી સંખ્યમાં દર્દીઓ આવે છે. રિવિજન સર્જરી એટલે એકવાર સર્જરી કરવા છતાં તેમાં ઉણપ રહી ગયેલી હોય તેવી સર્જરી, તેને તેઓ ઠીક કરી આપે છે. તેઓની પ્રવીણતા એવી કે, માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં સર્જરી કરી ઓપરેશન થિયેટરની બહાર આવી જાય !

આગળ વાત કરતા ડો. જય પટેલ કહે છે કે, આ વર્ષે ૫૯૯ જેટલી હીપ અને ની સર્જરી કરી છે. ઉપરાંત હાડકા સંબંધિત કેટલીય સર્જરી-ઓપરેશન સફળતાપૂર્વક કર્યાં છે. અને ગણતરીના દિવસોમાં જ દર્દીઓ ચાલતા થઈ જાય છે. આપણું અને વડોદરા શહેરનું સદભાગ્ય છે કે, હેમંત માથુર જેવા ડોક્ટર આપણને સાપડ્યા છે.

ડો. હિમાંશુ માથુર ઘૂંટણના દુખાવા અંગે વાત કરતા કહે છે કે, ભારતીય જીવનશૈલી એવી છે કે, ઉભા પગે રહેવાનુ અને પલાઠી વાળીની બેસવાનું વધુ રહેતુ હોય છે. જેથી પશ્વિમના દેશોની સરખામણીમાં ઘૂંટણનો ઘસારો વધુ થતો હોય છે. અને આજે તો મોટી ઉંમરના લોકોમાં ઘૂંટણની દુખાવો સામાન્ય થઈ ગયો છે.

રાજ્ય સરકાર આ સર્જરી માટે ૪૦ હજારની સહાય આપતી હતી પરંતુ ઘૂંટણ અને થાપાનું ઓપરેશન બહુ ખર્ચાળ હોવાથી સરકારે હવે મા અમૃત્તમ યોજના અને આયુસમાન ભારત યોજના એક સાથે જોડી દીધી છે. જેથી હવે હીપ અને ની સર્જરીની સારવાર તદ્દન નિ:શુલ્ક આપાવમાં આવે છે. ઉપરાંત રાજ્ય સરકાર ઇમ્પલાંટ માટે જુદી ગ્રાંટ આપે છે અને ફ્રેક્ચર માટે પ્લેટ, રોડ જેવી સાધન સામગ્રી પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમ તેમણે જણાવ્યું હતું.

સામાન્ય રીતે ઘૂંટણ અને થાપની ખર્ચાળ સર્જરીમાં ૧.૫૦ થી ૨ લાખ રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. જે ગરીબ મધ્યમ વર્ગને પરવડે નહિં. ત્યારે માં અમૃત્તમ અને આયુષમાન ભારત યોજનાના માધ્યમથી વિનામુલ્યે સારવાર મળી રહે છે. જે ખરેખર સામાન્ય લોકો માટે આશીર્વાદ સમી છે.

Next Story