દ્વારકા: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી વિવાદમાં

New Update
દ્વારકા: બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી વિવાદમાં

ઇન્સ્ટાગ્રામ આઈડી પર દ્વારકાધીશ જગત મંદિરની અંદરનો ફોટો કર્યો વાયરલ

તાજેતરમાં જ બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે ભગવાનના દર્શન કરવા માટે આવી પહોંચી હતી. જ્યાં કંગના રનૌતે ભગવાનના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું.

દ્વારકા સ્થિત દ્વારકાધીશ જગત મંદિર ખાતે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત દર્શન કરવા આવી હતી. કંગના રનૌતે ભગવાનના દર્શન કરી હિન્દુ શાસ્ત્રોક વિધિ અનુસાર પાદુકાનું પૂજન પણ કર્યું હતું. જ્યાં કંગના રનૌતે યાત્રાધામ દ્વારકાના જગત મંદિરની અંદર પૂજાવિધિ કરતો પોતાનો ફોટો ડેઇલી નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરતાં વિવાદ વકર્યો છે.

દ્વારકાનું દ્વારકાધીશ જગત મંદિર આરકોલોજી સર્વે ઓફ ઇન્ડિયામાં આવતું હોવાથી મંદિરની અંદર ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરવા માટે મંજૂરી લેવી પડતી હોય છે. અગાઉ અનેક વખત મંદિર પરિસર તેમજ મંદિરની અંદરના ફોટોગ્રાફ્સ વાયરલ થયા હતા, જેના કારણે મંદિરમાં ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કોઈએ પણ કરવી નહીં તેનું મંદિરના સંચાલકો દ્વાર ચોક્કસ ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશ જગત મંદિર અંદરનો પૂજાવિધિ કરતો પોતાનો ફોટો ડેઇલી નામના ઇન્સ્ટાગ્રામ આઈડી પર શેર કરી વાયરલ કરતાં ભારે વિવાદ સર્જાયો છે.

(આ સમાચારની તમામ વિગતો કંગના રનૌતના ઓફિસીઅલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, તેમજ દ્વારકાધીશ જગત મંદિર પાસેથી મેળવેલ છે.)

Read the Next Article

તમે જોજો દિલ્હીવાળાની ડિપોઝિટ ડુલ થશે..! : જુનાગઢમાં સી.આર.પાટીલના કેજરીવાલ પર પ્રહાર, ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.

New Update
  • ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિ

  • સી.આર.પાટીલ અરવિંદ કેજરીવાલ ઉપર વરસ્યા

  • હારેલા CM ફોર્મ ભરાવવા આવ્યા : સી.આર.પાટીલ

  • અહીં ત્રીજી પાર્ટીને કોઇ જ સ્થાન નથી : કેન્દ્રિય મંત્રી

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપઠિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છેત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે. વિસાવદર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભેંસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સી.આર.પાટીલએ આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કેજેના લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા CM ઇટાલિયાનું ફોર્મ ભરાવવા આવ્યા હતાઅને અહીં આવીને ચેલેન્જ કરતા હતા.

ભેંસાણની ધરતીમાં પરબનું પીર છેસાધુ-સંતોની ભૂમિ છેસાવજની ભૂમિ છે અને જ્યાં આટલા સાવજ હોય ત્યાં ભાજપની જીત નિશ્વિત જ હોય છે. આ કાર્યકર્તા સંમેલનમાં ગુજરાતભરના દિગ્ગજ નેતાઓધારાસભ્યોસાંસદોહોદ્દેદારોએ હાજરી આપી હતી. જુનાગઢ મહાનગરપાલિકાના મેયર અને ચૂંટાયેલા કોર્પોરેટરોની ટીમ પણ સંમેલનમાં જોડાય હતી.

Latest Stories