રાજકોટ : ASI ખુશ્બૂ કાનાબારે મૃત્યુના 2 દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં લીધા હતા ગરબા, યોજાઈ હતી પાર્ટી

New Update
રાજકોટ : ASI ખુશ્બૂ કાનાબારે મૃત્યુના 2 દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં લીધા હતા ગરબા, યોજાઈ હતી પાર્ટી

ગુરુવારનો દિવસ રાજકોટ પોલીસ માટે શર્મસાર અને દુઃખદાયી સાબિત થયો હતો. કારણકે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ખુશ્બૂ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજ સિંહ જાડેજા દ્વારા આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા હતા.

પ્રથમ તો પોલીસે આ મામલે બંને દ્વારા આપઘાત કર્યા હોવાનું પોલીસ ચોપડે નોંધ્યું છે. તો સાથે જ વધુ તપાસ કરતા આપઘાત જે ફ્લેટ માં થયો ત્યાંથી કુલ બે સર્વિસ રિવોલ્વર મળી હોવાનું સામે આવ્યું છે. જે બે પૈકી એક સર્વિસ રિવોલ્વર મૃતક ASI ખુશ્બૂ કાનાબાર ની હતી. જ્યારે કે અન્ય સર્વિસ રિવોલ્વર તેના સાથી કર્મી અને બેચમેટ વિવેક કુછડીયા નો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ફ્લેટ પર પ્રથમ પહોંચનાર મૃતક રવિરાજ સિંહ જાડેજાના સાડા ની પણ પૂછપરછ શરૂ કરી છે. તો સાથે જ પોતાની સર્વિસ રિવોલ્વર ફ્લેટ પર ભૂલી જનાર વિવેક કુછડીયા ની પણ પૂછપરછ શરૂ કરી છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં મૃતક ASI ખુશ્બૂ કાનાબાર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યોજાનાર બર્થડે અને રિટાયરમેન્ટ પાર્ટીમાં ભાગ લીધો હતો. આ બર્થડે પાર્ટી ખુશ્બૂ ના મૃત્યુના બે દિવસ પહેલા યોજાઈ હતી. ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.