/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/1-7.jpg)
રેલવેમાં બનતા અકસ્માતોને અંકુશમાં લેવા માટે પાટાની ખામીને શોધવા નવી ટેક્નોલોજી અપનાવવા અને પાટાઓને બદલવા તેમજ નવા નાખવા માટે રેલવે રૂપિયા 10000 કરોડ ખર્ચવામાં આવશે.
જયારે એક લાખ કરોડ રેલવે સુરક્ષા ક્રોશ માટે ફાળવીને માનવ રહિતના ક્રોસિંગ દૂર કરાશે અને રેલવેની સુરક્ષા માટે ચેતવણી આપતી સીસ્ટમ લગાડવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કહ્યુ હતુ કે ગ્લોબલ ઈન્ડેક્ષ મુજબ દેશમાં રેલવે અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થયો છે તેનો અર્થ એ નથી કે હું એનાથી ખુશ છું.અમે તો શૂન્ય ટકા અકસ્માત માટે પ્રયત્નશીલ છીએ,એમ રેલવેના અકસ્માતના દિવસે જ સુરેશ પ્રભુ કહ્યુ હતુ આજે ઉત્તર પ્રદેશમાં એક ટ્રેન પાટા પરથી ઉથલી પડી હતી, એનઆઈએ એની તપાસ કરી રહી છે તે કાનપુરના અકસ્માતોના ઉલ્લેખ કરીને તેમને કેટલાક અકસ્માતોના કારણો અંગે દિલગીરી વ્યક્ત કરી હતી, એનઆઈએ અને રાજ્યોની એજન્સીઓની મદદથી કાનપુર કેસને ઉકેલી શકીશુ , એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.