સુરત:બાળક બદલવાનો મામલો:આક્ષેપ કરનાર માતા પિતા નવજાતને સિવિલમાં જ મૂકી ભાગી છૂટ્યા

New Update
સુરત:બાળક બદલવાનો મામલો:આક્ષેપ કરનાર માતા પિતા નવજાતને સિવિલમાં જ મૂકી ભાગી છૂટ્યા

બાળક બદલવાના આક્ષેપ થી પોલીસે DNA ટેસ્ટ કરાવ્યો હતો

DNA ટેસ્ટ આવે તે પહેલાં માતા પિતા નવજાત ને મૂકી ફરાર

નવજાત બાળકી NICU માં દાખલ કરવામાં આવી છે

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બાળક બદલી જવાના વિવાદ બાદ DNA ટેસ્ટ આવે તે પહેલાં NICU માં દાખલ એક અઠવાડિયાની બાળકીને માતા પિતા છોડીને નાસી ગયા.

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ મહાદેવ નગરમાં રહેતા મૂળ યુપીના રહેવાસી નૈના બેન રાજેશ પટેલ ને ગત તારીખ 8 મેં ના રોજ પ્રસૂતિની પીડા ઉપડી હતી પાંડેસરામાં લવલી હોસ્પિટલમાં દાખલ નયના બાળકને જન્મ આપ્યો હતો ત્યારબાદ બાળકને શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.જયાં સારવાર દરમિયાન માતાએ સિવિલ તંત્ર ઉપર બાળક બદલી દેવાનો આરોપ લગાવ્યો હતો

નયના બેન પટેલ ના પતિ રાજેશ પટેલ સિવિલ તંત્ર ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મારી પત્ની અને પુત્રને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કર્યો હતો. મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો હતો જ્યારે પત્ની બાળક ને દૂધ પીવડાવવા જતા બાળકની જગ્યાએ બાળકી જોવા મળી હતી. નયના પટેલ રાજેશ પટેલે બાળક બદલી હોવાના સિવિલ તંત્ર પર આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી બાળક માતાનો ડી.એન.એ ટેસ્ટ કરવા રિપોર્ટ મોકલી આપ્યા હતા. જ્યારે રિપોર્ટ આવે તે પહેલાં જ માતા-પિતા એક અઠવાડિયા બાળકીને છોડીને નાસી ગયા છે હાલ આ મામલે પોલીસ માતા-પિતાને શોધખોળ શરૂ કરી છે.

Latest Stories
    Read the Next Article

    સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

    સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

    New Update
    Saputara Police

    ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

    ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.

    Latest Stories