Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: સીએમ ભુપેન્દ્ર પટેલ નૂતન વર્ષના અવસરે નાગરિકોને મળ્યા, શુભેચ્છાઓની થઈ આપ-લે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે સ્નેહમિલન યોજીને શુભેચ્છા આદાન પ્રદાન કર્યું હતું.

અમદાવાદ: સીએમ ભુપેન્દ્ર પટેલ નૂતન વર્ષના અવસરે નાગરિકોને મળ્યા, શુભેચ્છાઓની થઈ આપ-લે
X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2078ના પ્રારંભ દિવસે ગાંધીનગર અને અમદાવાદમાં પ્રજાજનો સાથે સ્નેહમિલન યોજીને શુભેચ્છા આદાન પ્રદાન કર્યું હતું.

અમદાવાદ સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સાથે નૂતનવર્ષ શુભેચ્છાઓ આપ-લે કરવા સામાન્ય નાગરિકો ઉપરાંત સમાજના વિવિધ વર્ગોના અગ્રણીઓ, ધર્મ ગુરુઓ, સંતો-મહંતો પણ આ સ્નેહ મિલનમાં જોડાયા હતા. આ અવસરે મંત્રી પ્રદીપ પરમાર, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મેયર કિરીટ પરમાર અને અમદાવાદ શહેરના અગ્રણીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યો. સાંસદો, પૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો વગેરેએ મુખ્યમંત્રી સાથે નૂતન વર્ષ શુભકામનાઓનું પરસ્પર આદાન પ્રદાન કર્યું હતું.

Next Story