અમદાવાદ : 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફ્રેબુઆરીમાં આવશે

અમદાવાદ શહેરને 2008માં ધણધણાવી દેનારા બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફેબ્રુઆરી મહિનામાં આવશે.

New Update

અમદાવાદ શહેરને 2008માં ધણધણાવી દેનારા બોંબ બ્લાસ્ટ કેસમાં ચુકાદો હવે ફેબ્રુઆરી મહિનામાં આવશે. 14 વર્ષથી ચાલતાં આ કેસમાં અંતિમ સુનાવણી પુર્ણ થઇ ચુકી છે.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 2008ની સાલમાં બોંબ બ્લાસ્ટ કરવામાં આવ્યાં હતાં. આ કેસ અમદાવાદની કોર્ટમાં ચાલી રહયો છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના 77 આરોપીઓ સામેના કેસમાં 14 વર્ષે ફાઈનલ દલીલી પૂર્ણ થઈ છે. આ કેસમાં આજે સુનવણી હતી પરંતુ હવે સ્પેશીયલ કોર્ટે ચુકાદો આગામી ફેબ્રુઆરી મહિનામાં આપવાનો નિર્ણય લીધો છે.

બીજી તરફ અન્ય રાજ્યોની જેલમાં રહેલા યાસીન ભટકલ સહિતના આરોપીઓને સામેનો કેસ ભેગો કરવા માટે તપાસનીશ એજન્સી દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ કેસમાં કાવતરા અને બ્લાસ્ટના આરોપી અયાઝ સૈયદએ તાજના સાક્ષી બનીને કોર્ટમાં જુબાની આપી હતી. કોરોના કહેરના કારણે કોર્ટો બંધ હોવાથી બ્લાસ્ટ કેસમાં સુનાવણી બંધ રહી હતી. જો કે, વીડિયો કોન્ફરન્સથી કેસ શરૂ કરવામાં આવ્યો હતો .જેમાં આરોપીનાં બાકીની જુબાની લેવામાં આવી છે. શહેરમાં 26 જુલાઈ 2008માં થયેલા શ્રેણી બદ્ધ સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત અને 244 ઘાયલ થયા હતાં. આ મામલે અમદાવાદમાં 20 અને સુરતમાં બોમ્બ મુકીને બ્લાસ્ટ કરવાના ષડયંત્ર મામલે ફરિયાદ થઈ હતી. આમ કુલ 35 કેસો એક સાથે ભેગા કરી દેવામાં આવ્યાં છે. આ કેસમાં 78 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યાં છે. અને તેમની સામે જુદી જુદી ચાર્જ શીટ પણ કરી છે. જ્યારે 8 આરોપીઓ એવા છે કે, જેને પોલીસ હજુ શોધી રહી છે

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise