અમદાવાદ: કોરોનાકાળમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ જપ્ત કરાયેલ વાહનો બન્યા ભંગાર,સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા

વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી

New Update

ગુજરાતના પોલીસ સ્ટેશનમાં નિયમો ભંગ કરનાર સામે જે વાહન જપ્ત થાય છે તે વાહનોની સંખ્યા હવે વધી રહી છે ત્યારે આ બાબતને લઈને વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાને વાહનો પોલીસ દ્વારા મોટી સંખ્યામાં જપ્ત કરવામાં આવ્યા હતા. માત્ર અમદાવાદ શહેરમાં જ પોલીસે છેલ્લા બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા હતા,

Advertisment W3.CSS

જેમાંથી 6,541 હજુ સુધી કોઈ છોડાવવા નથી આવ્યું. વિધાનસભાના ચાલુ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પૂછાયેલા સવાલમાં સરકારે માહિતી આપી હતી કે, વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર પોલીસે રોજના સરેરાશ 109 વાહનો જપ્ત કર્યા હતા.સરકારી આંકડા અનુસાર, જપ્ત કરેલા વાહન ના માલિક પાસેથી 11.02 કરોડ રૂપિયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો.2020 માં જે વાહન જપ્ત કરાયા હતા તેમને છોડાવવા તેના માલિકોએ સરેરાશ 1425 રૂપિયા દંડ ભરવો પડ્યો હતો. આ વર્ષમાં 62,993 વાહનો જપ્ત કર્યા હતા, જેમાંથી 4,034 હજુ બિનવારસી હાલતમાં પોલીસ સ્ટેશનમાં પડ્યા છે.

2021 માં પોલીસે 20,891 વાહનો જપ્ત કર્યા હતા, જેમાંથી 2,507 વાહનો હજુ કોઈ છોડાવવા નથી આવ્યું. પોલીસ સ્ટેશનમાં જો વાહન કેટલા મહિના સુધી પડ્યું રહે તો પણ તેને છોડાવવા ઉપરાંત રિપેર કરવાનો ખર્ચ 25 થી 50 હજાર રૂપિયા જેટલો આવતો હોય છે. તેવામાં ઘણા વાહન માલિકો તેને છોડાવવાનું જ માંડી વાળે છે. બિનવારસી પડેલા મોટાભાગના વાહનો ટુ વ્હીલર અને રિક્ષા હોય છે, જ્યારે અમુક કિસ્સામાં ગાડીઓ પણ કોઈ છોડાવવા નથી આવતું.ઘણા વાહનો એવા પણ છે કે જેને સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવ્યા હોય, પરંતુ તેની માલિકી ટ્રાન્સફરના કરાઈ હોય. ઘણા કિસ્સામાં વાહનના મૂળ માલિકનો અતોપતોના હોવાથી તેને છોડાવવું મુશ્કેલ બની જાય છે. તો કેટલાક મામલામાં વાહન માલિક પાસે PUC, RTOની રસીદ તેમજ RC બુકના હોવાના કારણે તેને છોડાવી નથી શકાતા.