Connect Gujarat
અમદાવાદ 

'કોરોના સંક્રમણ' : અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા, વલસાડમાં એક વ્યક્તિનું મોત...

કોરોના સંક્રમણ : અમદાવાદમાં સૌથી વધુ 13 કેસ નોંધાયા, વલસાડમાં એક વ્યક્તિનું મોત...
X

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 લોકોના નવા પોઝિટિવ કેસની સામે 63 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે વધતાં કેસને જોતાં રાજ્ય સરકારની ચિંતામાં વધારો થયો છે.

રાજ્યમાં નવેમ્બર મહિનાથી કોરોનાએ ઊથલો મારતા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા છે, જ્યારે 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 13 નવા કેસ નોંધાયા છે, જ્યારે વલસાડમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. જોકે, રાજ્યનો રિક્વરી રેટ 98.71 ટકા રહ્યો છે, ત્યારે અન્ય 19 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. તા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8, 28, 616ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10,102 છે. તેમજ અત્યાર સુધીમાં 8,17,937 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો, રાજ્યમાં હાલ 577 એક્ટિવ કેસ છે. જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 569 દર્દીની હાલત સ્થિર છે.

Next Story