સાંપ્રત સમયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સ્પર્ધાઓ અને કાર્યક્રમો વર્ચ્યુયલી યોજવામાં આવી રહ્યા છે. અમદાવાદના અદાણી ગૃપ તથા દિલ્હીના એરટેલ ગૃપ દ્વારા યોજવામાં આવેલી ઓનલાઈન વચૅયુલ મેરેથોન દોડમાં અંકલેશ્વર રનર ક્લબના સભ્યોએ ભાગ લઈ મેરેથોન રનિંગ કરી હતી.
જેમાં નિલેશ ચૌહાણ (21 Km), નિતિસ કુમાર (10 km), રાકેશ સિંગ (10 km), રમેશ કુસવાહા (21 km), વિનેશ મોરવાડિયા (21 km), વૈભવ પંચોરી (21 km) તથા રણજીતભાઈએ (21 km) રનિંગ કયુઁ હતું. ચાલઁશ જેસુદાસન, મોહિત કુમાર સિંગ, પંકજ સૈની સહિતના યુવાનોએ વોલંટિયર તરીકે ફરજ બજાવી મેરેથોન દોડ સફળ બનાવી હતી.